Not Set/ સમાજમાં દિવાલો ઉભી થાય છે, ત્યારે યોગ શાંતિ સ્થાપિત કરે છે : પીએમ નરેન્દ્ર મોદી

દહેરાદુન, આજે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  ઉત્તરાખંડના દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં અંદાજે 50 હજાર લોકો સાથે યોગ કર્યા હતા.ચોથા ઇન્ટરનેશનલ યોગ દિવસે પીએમ મોદી સવારે 6.30 વાગ્યે દહેરાદુન પહોંચી ગયા હતા અને હજારો લોકો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. યોગ કરતાં પહેલાં પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત […]

Top Stories

દહેરાદુન,

આજે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  ઉત્તરાખંડના દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં અંદાજે 50 હજાર લોકો સાથે યોગ કર્યા હતા.ચોથા ઇન્ટરનેશનલ યોગ દિવસે પીએમ મોદી સવારે 6.30 વાગ્યે દહેરાદુન પહોંચી ગયા હતા અને હજારો લોકો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.

યોગ કરતાં પહેલાં પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે જ્યારે તોડવાવાળી તાકાતો હાવી થઇ જાય છે ત્યારે સમાજમાં દિવાલો ઉભી થઇ જાય છે, પરિવારોમાં કંકાસ વધે છે અને જીવનમાં તણાવ વધે છે.આવા સમયે યોગ શરીર અને સમાજને જોડવાનું કામ કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે આજની ભાગદોડવાળી જીંદગીમાં યોગ વ્યક્તિના જીવનમાં શાંતિનો અનુભવ કરાવે છે.વ્યક્તિને પરિવાર સાથે જોડીને શાંતિ સ્થાપિત કરે છે.આજે સમગ્ર દુનિયામાં એવો માહોલ છે કે દરેક લોકો યોગ કરવા ઇચ્છે છે.

 

Watch LIVE

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ   ઉત્તરાખંડના દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં અંદાજે 50 હજાર લોકો સાથે યોગ કર્યા 

અરૂણાચલપ્રદેશમાં ઇન્ડો તિબેટીયન  બોર્ડર પોલિસના જવાનોએ લોહિતપુરની દિગારૂ નદીમાં રીવર યોગા કર્યા હતા.

 

ઇન્ડો તિબેટીન બોર્ડર પોલિસે લડાખમાં 18,000 ફુટ પર કડકડતી ઠંડીમાં સુર્ય નમસ્કાર કર્યા હતા.