Not Set/ સાઉથની ફિલ્મો કરશે આલિયા ભટ્ટ,દિગ્ગજ ડાયરેક્ટરો સાથે કામ કરવા તૈયાર 

મુંબઈ, રોઝા, બોમ્બે, દિલ સે, ગુરુ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુકેલ જાણીતા ડાયરેક્ટર મણિરત્નમ હિન્દી ઉપરાંત તમિલ ફિલ્મોમાં પણ ડાયરેક્શન કરી ચુક્યા છે. ત્યારે આ દિગ્ગજ ડાયરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે વ્યક્ત કરી છે. આલિયાએ જણાવ્યું હતું કે, મારા પિતા મહેશ ભટ્ટ મને સ્થાનિક ફિલ્મો જાવા માટે પ્રોત્સાહિત કરે છે અને […]

India Trending Entertainment
મુંબઈ,
રોઝા, બોમ્બે, દિલ સે, ગુરુ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુકેલ જાણીતા ડાયરેક્ટર મણિરત્નમ હિન્દી ઉપરાંત તમિલ ફિલ્મોમાં પણ ડાયરેક્શન કરી ચુક્યા છે. ત્યારે આ દિગ્ગજ ડાયરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે વ્યક્ત કરી છે.
આલિયાએ જણાવ્યું હતું કે, મારા પિતા મહેશ ભટ્ટ મને સ્થાનિક ફિલ્મો જાવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમણે મને સલાહ આપી છે કે મારે ચોક્કસથી બંગાળી ફિલ્મોમાં કામ કરવું જોઇએ. નાનપણથી મણિરત્નમ સાથે કામ કરવાનું મારુ સપનું રહ્યું છે.
કદાચ આગામી સમયમાં હું દક્ષિણ ભારતની ફિલ્મો તરફ નજર કરું અને તેમાં મણિ સર સાથે પણ કામ કરીશ. એવા અહેવાલો મળ્યા છે કે મણિરત્નમ પોતાની ફિલ્મ ઓકધલકનમણીની હિન્દી રીમેક બનાવી રહ્યા છે, જેમાં તે વરુણ ધવન અને આલિયા ભટ્ટને લઈ શકે છે.