મુંબઈ,
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે એક પરપ્રાંતય યુવક દ્વારા બાળકી પર કરાયેલા બળાત્કાર મામલાને લઈ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર કરવામાં આવી રહેલા હુમલાઓની ઘટનામાં વધારો થયો છે.
રાજ્યભરમાં વધી રહેલા આ હુમલાઓને લઈ હવે પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ મામલાને લઈ કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર હુમલો બોલવામાં આવ્યો છે.
PM ke grih rajya (Gujarat) mein agar UP, Bihar aur MP ke logon ko maar-maar ke bhagaya jaayega toh ek din PM ko bhi Varanasi jana hai, yeh yaad rakhna. Varanasi ke logon ne unhe gale lagaya aur PM banaya tha: Sanjay Nirupam, Congress (7.10.18) pic.twitter.com/Jc330Czh7D
— ANI (@ANI) October 8, 2018
ઉત્તર ભારતીય લોકો પર થઇ રહેલા આ હુમલાઓને લઈ કોંગ્રેસ નેતા સંજય નિરુપમેં પીએમ મોદીને નિશાન બનાવતા કહ્યું, “મોદીએ પણ યાદ રાખવું જોઈએ કે એક દિવસે તેઓને વારણસી જવાનું છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં જયારે યુપી, બિહાર અને મધ્યપ્રદેશના લોકોને મારી મારીને ભગાવવામાં આવી રહ્યા છે ત્યારે, વડાપ્રધાને પણ વારણસી જવાનું છે. તેઓને પણ યાદ રાખવું જોઈએ કે, વારણસીના લોકોએ તેઓને ગળે લગાવ્યા હતા અને પીએમ બનાવ્યા હતા.
શું છે આ મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના તાલુકાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની એક બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, રેપનો આરોપી બિહારનો રહેવાસી ૨૦ વર્ષનો છોકરો છે.
આ માહિતી સામે આવ્યા બાદ જ ગુજરાતભરમાં વસતા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે અને ત્યારથી જ આ પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં કરવામાં આવી રહ્યું છે.
વધુ વાંચવા માટે અહી ક્લિક કરો :
https://api.mantavyanews.in/gujarat-state-peace-stagnation-protection-people-province-cm-rupani-sabarkantha/
https://api.mantavyanews.in/police-arrested-17-people-at-vadodara/
https://api.mantavyanews.in/violence-incidents-on-migrants-in-himatnagar/
