સુરત,
સુરતના કીમ નદીમાં અચાનક અસંખ્ય માછલીઓના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. નદીમાં નહેરનું પાણી ભળતા માછલીઓ ઉપર આવી ગઈ હતી.
નહેરના પાણીમાં કેમિકલ ભળયું હોવાથી માછલીઓના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જીઆઈડીસી તેમજ નજીકની બિરલા સેલ્યુલોઝ જેવી કંપનીમાંથી કેમિકલ છોડવામાં આવ્યું હોવાનું મનાઈ રહી છે. હાલ તો નદીના પાણી ભળવાથી ગામોને પ્રદુષિત પાણીનો ઉપયોગ કરવો પડશે તેવું લાગી રહ્યું છે
.
