મુંબઇ,
છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડી ચર્ચામાં છવાયેલી છે. એવા સમાચાર મળી રહ્યા છે કે બંને એકબીજાને કથિત રીતે ડેટ કરી રહ્યા છે. તાજેતરની ઘણી ઇવેન્ટમાં બંનેને સાથે જોવામાં આવ્યા હતા ત્યાર પછીથી બંનેના વચ્ચે અફેયરની ચર્ચાઓ વધવા લાગી છે. અર્જુન અને મલાઈકા એકબીજાના ઘરે પણ આવતા-જતા હોય છે.
![]()
હવે, તાજેતરના અહેવાલોનું માનવું છે કે આ કથિત કપલે લોખંડવાલા નજીકના એલ સોસાયટીમાં એક ફ્લેટ ખરીદ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે બંનેએ મળીને આ ફ્લેટમાં ઇન્વેસ્ટ કર્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે હાલ આ ફ્લેટનું ઇન્ટીરીયરનું કામ ચાલી રહ્યું છે અને બંને આના પર ફ્લોઝ નજર રાખી રહ્યા છે.

વેલ એ તો ચોક્કસ છે કે તેઓ એકબીજા સાથે ઘણો સમય પસાર કરે છે. જોકે તે સ્પષ્ટ નથી, કે અર્જુન અને મલાઈકા ક્યારે સાથે આ ઘરમાં મૂવ કરશે. આ દરમિયાન જણાવી દઈએ કે અર્જુન કપૂરે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 6’ માં કહ્યું હતું કે તે હવે સિંગલ નથી.
