કર્ણાટક સહિત દેશના અનેક રાજ્યોમાં પૂરનો કહેર સર્જાયો છે. કર્ણાટકના બાંટવાલમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા બી જનાર્દન પૂજારીનું ઘર પૂર ગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યું છે. દક્ષિણા કન્નડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વરસાદ અને પૂરને કારણે મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણના ઘણા ભાગોમાં અત્યારે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે આ રાજ્યોમાં અત્યાર સુધીમાં 93 લોકોનાં મોત નીપજ્યાં છે અને હજારો લોકો લાપતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
