સેનાનાં નાયબ ચીફ લેફ્ટેનન્ટ જનરલ એમ.એમ. નરવાએ કહ્યું હતું કે, ડોકલામ સ્ટેન્ડ ઓફ દરમિયાન “પ્રાદેશિક દબંગ” જેવું કામ કરી ચીન વિવાદિત ક્ષેત્રમાં 100 વાર રહ્યું છે, તો આપણે ત્યાં 200 વાર રહી ચૂક્યા છીએ. ચીનને હવે સમજી લેવું જોઈએ કે, ચીન-ભારત યુદ્ધ દરમિયાન 1962 માં જેવું ભારતીય સૈન્ય હતું તેવું હવે બિલકુલ નથી રહ્યું.
ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપક્રમે યોજવામાં આવેલા “અમારી સરહદોનો બચાવ” અંગેનાં પરીસંવાદ દરમિયાન, પૂર્વ ભારતનાં ચીફ કમાન્ડિંગ ઓફિસર જનરલ નરવાને આ નિવેદન આપતા કહ્યું કે, ‘ડોકલામ સ્ટેન્ડ ઓફએ સ્પષ્ટ સંકેત હતો કે ભારતીય સશસ્ત્ર દળોને નબળું સમજવાની ભૂલ ન કરવી જોઈએ,’
જ્યારે ભૂતપૂર્વ વાયુસેનાનાં વડા અને ચેમ્બરની સંરક્ષણ પેટા સમિતિનાં સભ્ય, અરુપ રાહાએ 1962નાં યુદ્ધમાંથી શીખેલા પાઠ અને ત્યારબાદ સમસ્યાઓથી નિરાકરણ માટે લેવામાં આવેલા પગલાં વિશે પૂછ્યું, ત્યારે નરવાને કહ્યું કે, હવે અમે 1962ની સેના નથી. જો ચીન કહે છે કે ઇતિહાસ ભૂલશો નહીં, તો આપણે તેમને પણ આ જ વાત કહેવી પડશે.
