Not Set/ આ લોકનૃત્યમાં ભાગ લેનારે 40 દિવસ સ્નાન વગર રહેવું પડે છે

જો તમને એક દિવસ સ્નાન ન કરવાનું કહેવામાં આવે, તો તમે અસ્વસ્થતા અનુભવો છો, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં એક એવો સમાજ છે જે 40 દિવસ સુધી સ્નાન કરતાં નથી.સાથે જ માતાની પૂજા સુધી લોકોએ 40 દિવસ સુધી એક ટક ભોજન લેવું કરવું છે. આ પૂજા રાજસ્થાનના ભિલવાડામાં કરવામાં આવે છે. મંગળવારે ભીલ […]

India

જો તમને એક દિવસ સ્નાન ન કરવાનું કહેવામાં આવે, તો તમે અસ્વસ્થતા અનુભવો છો, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં એક એવો સમાજ છે જે 40 દિવસ સુધી સ્નાન કરતાં નથી.સાથે જ માતાની પૂજા સુધી લોકોએ 40 દિવસ સુધી એક ટક ભોજન લેવું કરવું છે.

આ પૂજા રાજસ્થાનના ભિલવાડામાં કરવામાં આવે છે. મંગળવારે ભીલ સમાજના લોકોએ ગૌરજ્યા માતાની સ્થાપના માટે ગવરી લોકનૃત્ય કર્યું હતું. સ્થાનિકોએ જણાવ્યુ કે ગવરી માં ભાગ લેનારા કલાકારોના જૂથમાં 150 સભ્યો હોય છે. જેમાં ભાગ લેનારા લોકોએ ખૂબ કડક નિયમોનું પાલન કરવું પડે છે.

જે લોકો ગવરી કરે છે, તે લોકો 40 દિવસ સુધી ન્હાયા વગર રહે છે. તેઓએ લીલી શાકભાજી અને માંસ મદિરાનો ત્યાગ કરવું પડે છે અને દિવસમાં માત્ર એક જ વાર જમવાનું હોય છે. પણ તેઓ ઉઘાડા પગે રહે છે. સવા મહિના સુધી દરેક સભ્ય પોતાના ઘરે નહીં પરંતુ મંદિરમાં રહે છે. જમીન પર સુવે છે.

સાથે જ ગવરી કરનાર કલાકારોએ સખત બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ખાસ વાત એ છે કે તેમાં અભિનય કરતા બધા સભ્યો પુરુષ જ હોય છે. આમાંના કેટલાક લોકોએ સ્ત્રીની ભૂમિકા નિભાવવી પડે છે. 40 દિવસ પછી, માતાને શાહી સવારી સાથે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ગૌરજ્યા માતાની ઉપાસનાથી યુદ્ધ અને ઝઘડા દૂર થાય છે. ગવરીના આયોજક વજેરામ ગમેતીએ જણાવ્યું હતું કે ગૌરજ્યા માતા પાર્વતીની બહેન છે. ઠંડી રાખીના દિવસે ગૌરજ્યા માતા તેમને કૈલાસ પર્વત પર મળવા આવે છે.

બહેનને મળવા માટે મેવાડમાં વિવિધ સ્થળોએ ગવરી ખેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 40 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે ગૌરાજ્યા માતા ભક્તોને સંકટથી મુક્તિ આપે છે. ઝઘડા અને દુખમાંથી પણ રાહત આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.