Not Set/ રોહિંગ્યા મુસલમાન મુદ્દે ઓવેસીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

                           મ્યાનમારના રોહિંગ્યા મુસલમાન પલાયનવાદનો મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. આજે રોહિંગ્યા રહેવા માટે ઠેર ઠેર ફરી રહ્યા છે. આ વચ્ચે દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે સાસંદ અસદુ્દ્દીન ઔવેસીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આકરા પ્રહારો કરતા ઓવેસીએ કહ્યું, આપણે […]

India

                          

મ્યાનમારના રોહિંગ્યા મુસલમાન પલાયનવાદનો મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. આજે રોહિંગ્યા રહેવા માટે ઠેર ઠેર ફરી રહ્યા છે. આ વચ્ચે દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે સાસંદ અસદુ્દ્દીન ઔવેસીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આકરા પ્રહારો કરતા ઓવેસીએ કહ્યું, આપણે તિબેટ, પાકિસ્તાન, બાંગ્લાદેશના લોકોને રહેવા માટે જગ્યા આપી છે. તો પછી 100 થી 125 કરોડ લોકોમાં 40 હજાર રોહિંગ્યાના રહેવાથી શું તકલીફ છે ? મિત્રતાની અને માનવતાની વાત કરીએ છીએ તો રોહિંગ્યા મુસલમાનોને મદદ કેમ નહિ ?

                        

ઔવેસીએ રોહિંગ્યા શરણાર્થીઓને દેશમાંથી બહાર કાઢવા અંગે પીએમ મોદીને સવાલ કરતા જણાવ્યું, આપણે બાંગ્લાદેશમાંથી આવેલી લેખિકા તસ્લીમા નસરીનને અપનાવી શકીએ છીએ તો રોહિંગ્યા મુસ્લિમોને કેમ નહીં ? આજે રોહિંગ્યા રહેવા માટે ઠેર ઠેર ફરી રહ્યા છે.