બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને જ્હોન અબ્રાહમ તેમની આગામી ફિલ્મ “પાગલપંતી”માં બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પ્રખ્યાત ગીત ‘તેરા બીમાર મેરા દિલ’ને રિક્રિએટ કરતા જોવા મળશે. રીયલ ગીત 1989 ની હિટ ફિલ્મ “ચલબાઝ”નું છે. સની દેઓલ અને શ્રીદેવી પર આ ગીત ફિલ્માંકન કરવામાં થયું હતું. આપને જણાવી દઈએ કે, આજકાલ જુના ગીતોને રિક્રિએટ કરવાનો ટ્રેડ ચાલી રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉર્વશી ફરી એકવાર ધમાલ મચવા તૈયાર છે.

આજકાલ ઉર્વશી બોલિવૂડમાં લોકપ્રિય થઈ રહી છે. સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ રૂપે ગીત ગાતી વખતે ઉર્વશીએ કહ્યું કે, “આ ઐતિહાસિક દૃશ્યનું શૂટિંગ કરતી વખતે હું ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી. તે મારા તરફથી દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી જીને શ્રદ્ધાંજલિ છે. હું આ ગીતને ન્યાય આપવા માગતી હતી. લોકો ગીતના મૂડ અને વાઇબનો આનંદ માણશે. મને આશા છે કે તેમને તે ગમશે. “

અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, ઉર્વશી રૌતેલા અને કૃતિ ખરબંદા છે. આ ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
