Not Set/ Ayodhya Verdict/ અયોધ્યા ચૂકાદા બાદ PM મોદી દેશને કરી રહ્યા છે સંબોધન

દાયકાઓ જુના અયોધ્યા કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણય અંતર્ગત વિવાદિત જમીન રામલલા મંદિર માટે હિન્દુ સમુદાયને સોંપવામાં આવી છે જ્યારે મુસ્લિમ સમુદાયને અલગ 5 એકર જમીન આપવામાં આવશે, જેના પર મસ્જિદ બનાવી શકાય.જણાવીએ કે આ નિર્ણય પછી એક તરફ અનેક રાજકીય પ્રતિક્રિયાઓ તીવ્ર બની છે, હવે પીએમ નરેન્દ્ર મોદી પણ […]

Top Stories India

દાયકાઓ જુના અયોધ્યા કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણય અંતર્ગત વિવાદિત જમીન રામલલા મંદિર માટે હિન્દુ સમુદાયને સોંપવામાં આવી છે જ્યારે મુસ્લિમ સમુદાયને અલગ 5 એકર જમીન આપવામાં આવશે, જેના પર મસ્જિદ બનાવી શકાય.જણાવીએ કે આ નિર્ણય પછી એક તરફ અનેક રાજકીય પ્રતિક્રિયાઓ તીવ્ર બની છે, હવે પીએમ નરેન્દ્ર મોદી પણ આ અંગે દેશને સંબોધન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય પહેલા પીએમ મોદીએ અનેક ટ્વીટ્સ દ્વારા લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે નિર્ણયને હાર કે જીત તરીકે જોવો જોઈએ નહીં. જયારે નિર્ણય આવ્યા પછી પણ પીએમએ કેટલાક ટ્વીટ કર્કયા હતા.

PM મોદીનું દેશવાસીઓને સંબોધન

નમસ્કાર કરીને સંબોધનની કરી શરૂઆત

સુપ્રિમે મહત્વના મામલે આજે ચુકાદો આપ્યો

સમગ્ર દુનિયા ભારતની લોકશાહીને માને છે.

સમગ્ર દેશની ઈચ્છા હતી કે આ મામલે દરરોજ સુનાવણી થાય

ન્યાય પ્રક્રિયાનું આજે સમાપન થયું

ભારતનું લોકતંત્ર જીવંત અને મજબૂત

દરેક ધર્મના લોકોએ ચુકાદાને આવકાર્યો છે

ભારતની વિવિધતામા એક્તાનું ગર્વ

દેશની 125 કરોડની જનતાએ નવો ઈતિહાસ રચ્યો

સુપ્રિમ કોર્ટે દરેકને ધૈર્યથી સાંભળ્યા

સુપ્રિમનો ચુકાદો સર્વ સંમતિથી આવ્યો

દેશના ન્યાયાધીશ, ન્યાય પ્રક્રિયા અને ન્યાયાલયને અભિનંદન

આજે 9 નવેમ્બર આગળ વધવાની પ્રેરણા આપે છે

જેના મનમાં કટુતા હોય તો તિલાંજલીનો દિવસ

સુપ્રિમ કોર્ટે દેશને સંદેશ આપ્યો

કઠોર વિવાદનો અંત પણ કાયદાથી જ આવે છે

સુપ્રિમનો ચુકાદો આપણા માટે નવી સવાર લઈને આવ્યો છે

દેશના કાયદાઓનું પાલન કરવું એ આપણી જવાબદારી બની ગયું છે.

દરેક ભારતીયએ પોતાની જવાબદારીનું પાલન કરવું પડશે અને ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાનું છે.

ભારત સામે અનેક પડકારો છે, અનેક લક્ષ્ય છે, મંજિલો અનેક છે. દરેક ભારતીયએ સાથે ચાલીને આ લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ઈદનો દિવસ આવી રહ્યો છે

સૌને સાથે મળીને ભારતના સુંદર ભવિષ્યનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું.

આગામી તહેવારો નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી.

 

https://www.facebook.com/mantavyanews/videos/544481996127528/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.