Not Set/ જૈશ આતંકીઓને ટ્રકમાં લઇ જનાર ડ્રાઈવર, પુલવામા હુમલાખોરનો ભાઈ : ડીજીપી

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે શુક્રવારે (31 જાન્યુઆરીએ) કહ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) આતંકવાદીઓને લઈ જતો ટ્રકનો ડ્રાઈવર પુલવામા આત્મઘાતી બોમ્બરનો સગા હતો. આપને યાદ અપાવી દઇએ કે, ગયા વર્ષે પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ પ્લાઝા નજીક શુક્રવારે એન્કાઉન્ટરમાં જેઈએમના ત્રણ આતંકવાદીઓ માર્યા […]

India

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે શુક્રવારે (31 જાન્યુઆરીએ) કહ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) આતંકવાદીઓને લઈ જતો ટ્રકનો ડ્રાઈવર પુલવામા આત્મઘાતી બોમ્બરનો સગા હતો. આપને યાદ અપાવી દઇએ કે, ગયા વર્ષે પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ પ્લાઝા નજીક શુક્રવારે એન્કાઉન્ટરમાં જેઈએમના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકીઓ એક ટ્રકમાં કાશ્મીર ખીણ તરફ જઈ રહ્યા હતા.

સિંહે જણાવ્યું હતું કે, ટ્રક ડ્રાઈવરની ઓળખ પુલવામાના સમીર ડાર તરીકે થઈ છે. તેના ભાઇ મંઝૂર ડારની 2016 માં હત્યા થઈ હતી. તે આદિલ ડારનો ભાઈ છે. “

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, જેઈએમના આદિલ ડાર દ્વારા પુલવામા જિલ્લાના લેથપુરા વિસ્તારમાં સીઆરપીએફની બસને વિસ્ફોટથી ભરેલી કારમાં ટકરાઈ હતી જેમાં 40 સૈનિકો માર્યા ગયા હતા. સિંહે કહ્યું કે તેમણે કઠુઆ જિલ્લાના હિરાનગર સેક્ટરના દયાલા ચક વિસ્તારમાંથી બપોરે 2 વાગ્યે (30–31 જાન્યુઆરી) આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા પછી આતંકવાદીઓને ઝડપી લીધા હતા.

સિંહે કહ્યું કે જમ્મુ શહેરથી લગભગ 28 કિમી દૂર બઢન ટોલ પ્લાઝા પર ત્રણ-ચાર આતંકવાદીઓને રોકવામાં આવ્યો, જ્યારે તેઓ ટ્રકમાં કાશ્મીર ખીણમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડીજીપીએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે અન્ય નજીકના જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. આ દરમિયાન એક પોલીસ જવાન ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે આ કરતુત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની છે. ડીજીપીએ જણાવ્યું હતું કે એક સ્નાઈપર રાઇફલ અને મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.