Not Set/ #વિશાખાપટ્ટનમ/ ગેસ લીક મામલે PM મોદીએ બોલાવી NDMA ની બેઠક, કહ્યુ- સ્થિતિ પર રાખવામાં આવી રહી છે નજર

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે એક બાળક સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આશરે 200 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આંધ્રપ્રદેશની આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કર્યું છે. વડા પ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું […]

India

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે એક બાળક સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આશરે 200 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આંધ્રપ્રદેશની આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કર્યું છે.

વડા પ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘મેં વિશાખાપટ્ટનમની પરિસ્થિતિ વિશે ગૃહ મંત્રાલય અને એનડીએમએ અધિકારીઓ સાથે વાત કરી છે, જેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હું વિશાખાપટ્ટનમમાં બધાની સલામતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. ” આપને જણાવી દઇએ કે, વિશાખાપટ્ટનમની સ્થિતિને પગલે પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યે એનડીએમએની બેઠક બોલાવી છે

અધિકારીઓએ જણાવ્યું કે, ગામ આરઆર વેંકટપુરમનાં એલજી પોલિમર ઈન્ડિયા પ્રા.લિ.નાં કેમિકલ ગેસ પ્લાન્ટ નજીક, રહેવાસીઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. એએનઆઈએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસકર્મીઓ કેમિકલ પ્લાન્ટ પાસે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

હિન્દુસ્તાન પોલિમર તરીકે 1961 માં સ્થપાયેલી, આ કંપની દક્ષિણ કોરિયાનાં એલજી કેમ દ્વારા લેવામાં આવી હતી અને 1997 માં તેનું નામ એલજી પોલિમર ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ પોલિસ્ટાઇન અને વિસ્તૃત પોલિસ્ટાયર્ન બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.