Not Set/ જાણો, કેમ ‘કસૌટી જિંદગી કી 2’ ફેમ કુણાલ ઠાકુરે છોડ્યો શો

ઘણા ટીવી સ્ટાર્સ એક બાજુ સેટ પર પાછા ફરી રહ્યા છે અને ઘણાં સેટ્સથી અંતર રાખવા વિશ્વાસ રાખે છે. હાલમાં જ ‘કસૌટી જિંદગી કી 2’ નું શૂટિંગ શરૂ થયું છે. પરંતુ તેમાં ભજવતો પાત્ર કુણાલ ઠાકુર હજી પણ ઘરે બેસવાનું વિચારી રહ્યો છે. તે કહે છે કે તે પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માંગતો નથી. તેથી […]

Uncategorized

ઘણા ટીવી સ્ટાર્સ એક બાજુ સેટ પર પાછા ફરી રહ્યા છે અને ઘણાં સેટ્સથી અંતર રાખવા વિશ્વાસ રાખે છે. હાલમાં જ ‘કસૌટી જિંદગી કી 2’ નું શૂટિંગ શરૂ થયું છે. પરંતુ તેમાં ભજવતો પાત્ર કુણાલ ઠાકુર હજી પણ ઘરે બેસવાનું વિચારી રહ્યો છે. તે કહે છે કે તે પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માંગતો નથી. તેથી તેણે આ શોને અલવિદા કહી દીધો છે.

કુણાલે આપેલા એક ઈન્ટરવ્યુમાં તાજેતરમાં જ મેં ડેન્ટલ સર્જરી કરાવી છે. દવાઓ ચાલી રહી છે. આને કારણે મારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ રહી છે. સાથોસાથ ચોમાસાની સીઝન પણ શરૂ થઈ ગઈ છે અને મારા માટે દરરોજ મધ આઇલેન્ડથી અંધેરી જવું શક્ય નથી. મારો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે. મારી પાસે ડ્રાઈવર નથી જે દરરોજ મને કામ પર લઇ જાય. હું ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નવો છું અને મને લાગે છે કે હમણાં હું શૂટિંગ પર પાછા જઇ શકતો નથી. વસ્તુઓ નક્કી ન થાય ત્યાં સુધી હું ઘરે બેસવા માંગુ છું.

Kunal Thakur: I don't feel safe shooting under the current ...

આપને જણાવી દઈએ કે આ શોમાં કૃણાલ ઠાકુર અનુરાગ બાસુના ભત્રીજાની ભૂમિકામાં છે. પરંતુ હવે તેઓએ આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો છે. મેકર્સે નિર્ણય કર્યો છે કે તે આ ભૂમિકા માટે નવા ચહેરાની શોધમાં રહેશે. જણાવી દઈએ કે કૃણાલ ઠાકુરને આ ભૂમિકા ઓડિશનમાંથી મળી હતી. તે મુંબઈમાં એકદમ નવો હતો, પરંતુ કસૌટી જેવા શો મળ્યા બાદ તે પ્રખ્યાત થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.