Not Set/ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર મુક્યો પ્રતિબંધ…

  છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના લોકોને પ્રતિ કિલો 80 થી 90 રૂપિયાના દરે ડુંગળી ખરીદવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં, વિપક્ષ સતત ડુંગળીના ભાવો પર કાબૂ મેળવવાનાં પગલાં લેવા સરકાર ઉપર દબાણ લાવી રહ્યું હતું. દેશભરમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થતાં મોદી સરકાર ચકચાર મચી ગઈ છે. […]

Uncategorized
 

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના લોકોને પ્રતિ કિલો 80 થી 90 રૂપિયાના દરે ડુંગળી ખરીદવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં, વિપક્ષ સતત ડુંગળીના ભાવો પર કાબૂ મેળવવાનાં પગલાં લેવા સરકાર ઉપર દબાણ લાવી રહ્યું હતું.

દેશભરમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થતાં મોદી સરકાર ચકચાર મચી ગઈ છે. દરમિયાન સરકારે ડુંગળીના નિકાસ પર તાકીદે પ્રતિબંધ મૂક્યો છે, જેથી કિંમતોમાં વધારો અટકાવી શકાય. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આગળના આદેશો સુધી ડુંગળીની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે. જેના કારણે તાત્કાલિક અસરથી તમામ જાતની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના લોકોને પ્રતિ કિલો 80 થી 90 રૂપિયાના દરે ડુંગળી ખરીદવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં, વિપક્ષ સતત ડુંગળીના ભાવો પર કાબૂ મેળવવાનાં પગલાં લેવા સરકાર ઉપર દબાણ લાવી રહ્યું હતું.

ડુંગળીના ભાવને કારણે દિલ્હીની કેજરીવાલ સરકાર પણ અશાંત છે. શનિવારે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 70 વાહનોને રવાના કાર્ય હતા, જેથી કરી દરેક વિધાનસભા ક્ષેત્રમાં ડુંગળી 23.90 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી મળી રહે. દિલ્હી સરકાર રાષ્ટ્રીય પાટનગરમાં 400 રેશન શોપ પર ડુંગળીનું વેચાણ પણ કરી રહી છે.

આ યોજનાની ઘોષણા કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે એક વ્યક્તિ એક સમયે મહત્તમ 5 કિલો ડુંગળી ખરીદી શકે છે. તેમણે કહ્યું કે આ પગલાથી શહેરના લોકોને રાહત મળશે. દિલ્હી સરકાર આગામી પાંચ દિવસમાં એક લાખ કિલો ડુંગળી કેન્દ્ર સરકાર પાસેથી ખરીદશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.