શ્રીનગરમાં મંગળવારે રાત્રે મધ્યમ તીવ્રતાના ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 3.6 માપાઈ હતી. ભૂકંપના ડરથી લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 9.40 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર શ્રીનગરમાં જમીનથી પાંચ કિલોમીટર નીચે સ્થિત હતું.આ ભૂકંપથી હજી સુધી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
