કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થવા જઈ રહી છે. અદાલત આ કાયદાઓને લાગુ કરવા પર રોક પણ લગાવી શકે છે. સંભવતઃ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આરાએમ. લોઢાની અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ શકે છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન ની વચ્ચે આમ તો કેન્દ્ર સરકાર અને સંગઠનો વચ્ચે ઘણી વખત ચર્ચા-વિચારણા માટે બેઠકો યોજાઇ ચૂકી છે તેમજ સંશોધન માટે ભરોસો પણ અપનાવવામાં આવ્યો છે.

Bollywood / વધુ એક અભિનેત્રી બની માતા,દંગલ ફેઈમ બબીતા ફોગટે આપ્યો દીકરાન…
આમ છતાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અસંતોષ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જ જવાબદાર ગણાવી છે. સોમવારે ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયાધીશ એએસ બોપન્ના અને વી. સુબ્રમણ્યમની બેંચે કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન પર સરકાર તેમજ કિસાનોના વકીલોને લાંબી દલીલો સાંભળી અને સીધા કેન્દ્ર સરકારને જ કઠેરામાં ખડી કરી દીધી હતી.
USA / અમેરિકી સદને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગની …
કોર્ટે ખેડૂતોને અને વકીલોને જણાવ્યું હતું કે કાયદાની પ્રક્રિયા રોકવા બાદ તમે પ્રદર્શન ચાલુ રાખી શકો છો. અમે નથી ઈચ્છી રહ્યા કે કોઈપણ પ્રકારના પ્રદર્શનને દબાવવામાં આવે. મુદ્દો એ છે કે પ્રદર્શન જ્યાં ચાલી રહ્યું છે, ખેડૂતોના વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું છે કે ખેડૂતો રામલીલા મેદાન જવા માગે છે. કોર્ટે જણાવ્યું હતું કે આટલી બહોળી સંખ્યામાં લોકો દિલ્હીમાં આવશે.

Corona Update / દેશ કોરોના કંટ્રોલ તરફ, 24 કલાકમાં 7 મહિના બાદ સૌથી ઓછા નવા …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
