ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે તમામ ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી બીસીસીઆઈને આપવાની છે. દરમિયાન, રાજસ્થાન રોયલ્સે આ વર્ષે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી અને ટીમનાં કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધા છે અને યુવા બેટ્સમેન સંજુ સેમસનને ટીમનાં નવો કેપ્ટન બનાવ્યા છે.
ગત સીઝનમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું, ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે ટીમ મેનેજમેન્ટ કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. જેના કારણે હવે સ્ટીવ સ્મિથની ફરીથી હરાજી કરાશે. 26 વર્ષીય યુવા વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન પ્રથમ વખત ટીમની કપ્તાની સંભાળશે. જણાવી દઇએ કે, સંજુ સેમસન કેરળ માટેની સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તાજેતરનાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તે ટીમ ઈન્ડિયાનો ભાગ પણ હતો. ટીમ મેનેજમેન્ટે આશા વ્યક્ત કરી છે કે સંજુ સેમસનની કપ્તાની હેઠળ ફ્રેન્ચાઇઝીનું કિસ્મત ચમકશે. 2020 આઈપીએલમાં તેણે 28.84 ની એવરેજથી 375 રન બનાવ્યા હતા.
A new chapter begins now. 🚨
Say hello to your Royals captain. #SkipperSanju | #HallaBol | #IPL2021 | #IPLRetention | @IamSanjuSamson pic.twitter.com/pukyEiyb1B
— Rajasthan Royals (@rajasthanroyals) January 20, 2021
સ્ટીવ સ્મિથનાં નેતૃત્વ હેઠળ રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી રહ્યું નહોતું. ઉપરાંત, તેનું પોતાનું ફોર્મ પણ સવાલોમાં હતું. જો કે, તેણે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ચોક્કસ સદી ફટકારી હતી. પરંતુ તે સ્પિનર સામે ઝઝૂમતો જોવા મળ્યો હતો. જો આઈપીએલ ભારતમાં રમાઇ હોત, તો સ્પિનરો એક ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. આઈપીએલમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કે તમામ ફ્રેન્ચાઇઝીનો ભાર યુવા કેપ્ટન તરફ આગળ વધી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ હાલમાં ભારતીય યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર છે. અને ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન પણ ઉત્તમ રહ્યું હતુ. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સનાં ચાહકો પણ સંજુ સેમસન પાસેથી સારી અપેક્ષા રાખી રહ્યા છે. જણાવી દઇએ કે, રાજસ્થાન 2008 માં પ્રથમ અને છેલ્લી વખત ટાઇટલ જીત્યું હતું.
Cricket / સુરેશ રૈના અને હરભજન સિંહ CSK તરફથી નહી રમે? જાણો વિગત
Cricket / કોહલી બાદ કોણ બનશે નવો કેપ્ટન? જાણો આ વિશે સાંસદ શશી થરૂરની ભવિષ્યવાણી
Beware! / કોરોના કોઈ મજાક નથી સાવધાની રાખો : સંક્રમિત થયા બાદ સાનિયા મિર્ઝાએ શેર કરી વાત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
