આજના આ 21 મી સદીના યુગમાં ઘણી બધી એવી ઘટનાઓ કે કિસ્સાઓ વિષે તમે સંભાળતા હશો. કે જ્યાં જેને સાંભળીને એક સમયે તમે પણ વિચારોમાં પડી જશો કે, આ કઈ રીતે પોસીબલ હશે.
આ જ પ્રકારનો એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂત 7માં લગ્ન કરવા માટે તલપાપડ બન્યો છે અને પોતાના માટે એક પત્નીની શોધ માટે લાગ્યો છે.
આ ખેડૂતની વાત કરીએ તો, તેની વય 63 વર્ષની છે અને તેને હાર્ટની સમસ્યા, ડાયાબિટીઝ સહિત અનેક બીમારીઓ છે, પરંતુ તેને આવી બીમારીઓની કોઈ જ ચિંતા નથી. આ ખેડૂત હકીકતમાં ૬ મહિલાઓ સાથે લગ્ન કરી ચુક્યો છે અને તેની જેની છઠ્ઠી પત્ની તેનાથી 21 વર્ષ નાની છે. આ ખેડૂતનું કહેવું છે કે, તે તેની સાથે શારીરિક સબંધ નથી બાંધવા માંગતી. આથી જ તે હવે તેને છોડીને 7મીં વખત લગ્ન કરવા માંગે છે.
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં 63 વર્ષના ખેડૂત અય્યુબ દેગિયાએ છઠ્ઠા લગ્ન કર્યા હતા. જે બાદ ડિસેમ્બરમાં તે પત્નીથી અલગ થઈ ગયો છે, બસ ત્યારથી જ તે સાતમાં લગ્ન કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
