Not Set/ આ આરોપ હેઠળ લાલ કિલ્લા હિંસાના વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

ખેડૂતો દ્વારા ત્રણ નવા ખેડૂત કાયદાઓના વિરોધમાં આંદોલન અટકવાનું નામ લઇ રહ્યું નથી, તેની વચ્ચે 26મી જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા યોજવામાં આવેલી ટ્રેક્ટર પર રેડ વખતે હિંસા થઈ હતી. અને કેટલાક તોફાની તત્વો દ્વારા લાલ કિલ્લા પર

India

ખેડૂતો દ્વારા ત્રણ નવા ખેડૂત કાયદાઓના વિરોધમાં આંદોલન અટકવાનું નામ લઇ રહ્યું નથી, તેની વચ્ચે લાલ કિલ્લા હિંસાનો વધુ એક આરોપી ઝડપાયો છે. દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે 26મી જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા યોજવામાં આવેલી ટ્રેક્ટર પર રેડ વખતે હિંસા થઈ હતી. અને કેટલાક તોફાની તત્વો દ્વારા લાલ કિલ્લા પર ચઢી અને ભારતનો ઝંડો ફરકાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ હિંસામાં મુખ્ય આરોપી દીપ સીધુ અને લખ્ખા સિહ બાદ હવે વધુ એક આરોપી ઝડપાયો છે.

CM / મુખ્યમંત્રી બાદ તેમના અંગત મદદનીશ શૈલેષ માંડલિયાએ કોરોનાને હરાવ્યો,RT-PCR ટેસ્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

લાલ કિલ્લા હિંસા મામલામાં દિલ્હી પોવીસે વધુ એક આરોપી જસપ્રીત સિંહની ધરપકડ કરી છે. 29 વર્ષીય જસપ્રીત દિલ્હીના સ્વરૂપ નગરનો રહેવાસી છે. જસપ્રીત લાલ કિલ્લા પર આરોપી મનિંદર સિંહની સાથે ઉભો જોવા મળી રહ્યો છે અને બન્ને હાથથી તલવાર ફેરવી રહ્યો છે. પોલીસની એફઆઈઆર પ્રમાણે ત્યારબાદ તે લાલ કિલ્લાના વધુ એક શિખર પર ચઢ્યો. તેના પર આરોપ છે કે લાલ કિલ્લા પર લાગેલ સ્ટીલના રોડને લઈને લોકોને ભડકાવી રહ્યો હતો.

Image result for image of redfort violence

ગંભીર આક્ષેપ / રાજકોટમાં સ્ટ્રોંગ રૂમમાં પણ ઇવીએમ અસુરક્ષિત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, કલેકટરને પાઠવ્યું આવેદન

પોલીસની એફઆઈઆર પ્રમાણે ત્યારબાદ તે લાલ કિલ્લાના વધુ એક શિખર પર ચઢ્યો. તેના પર આરોપ છે કે લાલ કિલ્લા પર લાગેલ સ્ટીલના રોડને લઈને લોકોને ભડકાવી રહ્યો હતો. મહત્વનું છે કે દિલ્હીમાં કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન 26 જાન્યુઆરીએ ઘણા સ્થળો પર હિંસા થઈ હતી. અનેક લોકો લાલ કિલ્લા પરિસરમાં દાખલ થયા અને ત્યાં ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો.

Toolkit Case / પટિયાલા કોર્ટે દિશા રવિને આપ્યા પોલીસ રિમાન્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…