આર્મી ચીફ બીપીન રાવત એ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની ચેતવણી આપતા જણાવ્યું છે કે આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયાસ કરશે તો અમે તેમને દોઢ ફૂટ જમીન નીચે દાટી દઈશું. આ ચેતવણી પાકિસ્તાન પર ભારતની સર્જીકલ સ્ટ્રાઇકને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું ત્યારે આવી છે, પાકિસ્તાન પોતાની હારનો બદલો લેવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. ત્યાં જ ભારતીય સુરક્ષાબળ એને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે…ગત વર્ષે ઉરી હુમલા પછી આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસી જઈ આતંકવાદીઓનો અને સ્થળોને નાશ કર્યો હતો. આ હુમલામાં 38 આતંકીઓના મોત થયા હતા અને સાત આતંકી અડ્ડાઓનો સફાયો કરાયો હતો. આર્મી ચીફ બીપીન રાવતે સોમવારે પાકિસ્તાનને ચેતવણી આપતાં જણાવ્યું કે “સરહદની પેલે પાર જે આતંકવાદી છે, તે તૈયાર બેઠા છે. તો અમે પણ એમનાં માટે તૈયાર જ બેઠા છીએ.”
Not Set/ આર્મી ચીફ બીપીન રાવતે પાકિસ્તાનને આપી ચેતવણી
આર્મી ચીફ બીપીન રાવત એ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની ચેતવણી આપતા જણાવ્યું છે કે આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયાસ કરશે તો અમે તેમને દોઢ ફૂટ જમીન નીચે દાટી દઈશું. આ ચેતવણી પાકિસ્તાન પર ભારતની સર્જીકલ સ્ટ્રાઇકને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું ત્યારે આવી છે, પાકિસ્તાન પોતાની હારનો બદલો લેવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. ત્યાં જ […]
![આર્મી ચીફ બીપીન રાવતે પાકિસ્તાનને આપી ચેતવણી 1 bipin rawat આર્મી ચીફ બીપીન રાવતે પાકિસ્તાનને આપી ચેતવણી](https://mantavyanews.com/wp-content/uploads/2017/09/bipin-rawat.jpg)