ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય બીજું વુહાન બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેવી લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની રહી છે.
તમાંયે ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. શહેરોમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. અને સમશાન ગૃહો પણમૃતદેહથી ઉભરાઈ રહ્યા છે. અમદાવાદ માં પાનના ગલ્લા સાથે ચાની લારી પણ બંધ કરવવામાં આવી છે .અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવી છે.ત્યારે રાજકોટમાં પણ દર પાનના ગલ્લા બંધ કરી દેવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં વધતા જતા કેસને લઈને જાહેરનામું પાડવામાંઆવ્યું છે જેમાં ગાંધીનગરમાં 30 અપ્રિલ સુધી શહેરના તમામ પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
