યોગ ગુરુ બાબા રામદેવ અને એલોપેથીક ડોકટરો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે વધારો થઈ રહ્યો છે. રામદેવ અને એલોપથીને લઇને 25 પ્રશ્નો જારી કર્યા પછી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ઉત્તરાખંડ એ તેમને બદનક્ષીની કાનૂની નોટિસ ફટકારી છે.
બ્રેકિંગ ન્યૂઝ / 36 શહેરોમાં રાત્રિ કર્ફયૂનાં સમયમાં ફેરફાર, જાણો કેટલા વાગ્યાથી લાગુ થશે
એસોસિએશને કહ્યું કે, રામદેવ એલોપથીનો ‘એ’ પણ જાણતા નથી. એસોસિએશને વધુમાં કહ્યું કે અમે તેમના પ્રશ્નોનાં જવાબો આપવા તૈયાર છીએ, પરંતુ પહેલા તેઓ તેમની યોગ્યતા સાબિત કરે. તેમણે કહ્યું કે જો બાબા 15 દિવસની અંદર માફી નહીં માંગે તો તેમની સામે 1000 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રામદેવે કોરોના સારવારમાં એલોપેથી દવાઓની બિનઅસરકારકતા વિશે પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોરોના દર્દીઓનું મોત દેશમાં ઓક્સિજનનાં અભાવને કારણે નહી પરંતુ એલોપેથીક દવાઓનાં ઉપયોગથી થયુ છે. આઇએમએ એ આ અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને રામદેવને પત્ર લખીને નિવેદન પાછું ખેંચવા અને માફી માંગવા કહ્યું હતું. આ પછી રામદેવે માફી માંગી લીધી હતી, પરંતુ આ પછી તેણે સોમવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) ને 25 પ્રશ્નો પૂછ્યા. રામદેવ આઈ.એમ.એ. પાસેથી જાણવા માગે છે કે શું એલોપેથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ જેવા રોગોથી કાયમી રાહત પૂરી પાડે છે? પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ખુલ્લો પત્ર જારી કરતાં રામદેવે આઇએમએ ને તેમના 25 પ્રશ્નોનાં જવાબ માંગ્યા. આઇએમએએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં રામદેવે દાવો કર્યો છે કે એલોપથી ‘બકવાસ વિજ્ઞાન’ છે અને રેમડેસિવીર, ફેવિફ્લુ અને આવી અન્ય દવાઓ કોવિડ-19 ની સારવાર માટે ભારતનાં ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તે કોરોનાનાં દર્દીઓની સારવાર કરવામાં નિષ્ફળ રહી છે.
IMA Uttarakhand sends a defamation notice of Rs 1000 cr to Yog Guru Ramdev. The notice states that if he doesn't post a video countering the statements given by him and tender a written apology within the next 15 days, then a sum of Rs 1000 crores will be demanded from him. pic.twitter.com/c7RlLInXi3
— ANI (@ANI) May 26, 2021
રાજકારણ / પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને સવાલ, દેશની આવી હાલત માટે જવાબદાર કોણ?
રામદેવે એ પણ પૂછ્યું કે શું ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં થાઇરોઇડ, સંધિવા, અસ્થમા અને કોલાઇટિસ જેવા રોગોની કાયમી સારવાર છે. તેમણે પૂછ્યું કે શું એલોપેથીમાં ફેટી લીવર (મોટું યકૃત) અને યકૃત સિરસિસની દવાઓ છે? તેમણે પૂછ્યું, “જેમ તમે ટીબી અને શીતળાનાં ઉપાય શોધી કાઠ્યા છે, તે જ રીતે યકૃતનાં રોગોનો ઉપાય પણ શોધી કાઠો. છેવટે, એલોપેથી હવે 200 વર્ષ જૂની છે.” યોગ ગુરુએ એ પણ જાણવા માંગ્યું હતું કે આ ઉપચારથી સંબંધિત હૃદયની સમસ્યાઓની કોઈ બિન-સર્જિકલ સારવાર છે કે કેમ. તેમણે પૂછ્યું, ‘કોલેસ્ટરોલની સારવાર શું છે?’ તેમણે પૂછ્યું, “શું ફાર્મા ઉદ્યોગમાં આધાશીશીનો ઉપાય છે?” હિમોગ્લોબિનને રોકવા અને વધારવાની કોઈ રીત છે? તેમણે ટીપ્પણી કરી, “જો એલોપેથી એટલી સારી અને સર્વગ્રાહી છે, તો ડોક્ટરો બીમાર ન રહેવા જોઈએ.” કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને રવિવારે એલોપેથી વિશે યોગગુરુ રામદેવનાં નિવેદનને ‘ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું હતું અને તે નિવેદનને પાછું ખેંચવાનું કહ્યું હતું, ત્યારબાદ રામદેવે નિવેદન પાછુ ખેંચી લીધું હતું.

