છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. બીજી લહેરનાં પ્રચંડ તાંડવ બાદ હવે કોરોનાથી રિકવર થતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દેશમાં હવે દૈનિક કેસોમાં ઘટાડો તો નોંધાયો છે, પરંતુ હજુ પણ ત્રીજી લહેરની આશંકા હોવાના કારણે સરકાર એલર્ટ મોડમાં ચાલી રહી છે. જણાવી દઇએ કે, ભારતમાં કોરોના સંક્રમણનાં દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે મૃત્યુઆંકમાં વધઘટ થઇ રહી છે. છેલ્લા એક દિવસમાં દેશમાં કોવિડ-19 નાં 43 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 955 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ભારતમાં સંક્રમણનાં નવા કેસોની તુલનામાં કોરોનાથી ઠીક થતાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19 દર્દીઓનો રિકવરી રેટ 97.09% પર પહોંચી ગયો છે.

ગુજરાત / રાજ્યમાં વધુ એક ભૂકંપનો ઝટકો, કચ્છનાં દુધઈમાં અનુભવાયો 3.7 ની તીવ્રતતાનો આંચકો
દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઇ છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 43,071 નવા કેસ નોંધાયા છે અને 955 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસનાં આગમન બાદ, ભારતમાં હાલમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 3,05,45,433 થઇ ગઇ છે. વળી મૃત્યુઆંક 4,02,005 પર પહોંચી ગયો છે. 24 કલાક દરમ્યાન, 52,299 લોકો હોસ્પિટલમાંથી ઠીક થઈને સ્વદેશ પરત ફર્યા છે, જે પછી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 2,96,58,078 થઈ ગઇ છે અને ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4,85,350 થઈ ગઇ છે, જ્યારે દેશમાં કુલ રસીકરણનો વધારો થયો છે, જેનો આંકડો 35,12,21,306 પર પહોંચી ગયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 63,87,849 રસી આપવામાં આવી છે અને દેશમાં રિકવરી દર વધીને 97.09% થઈ ગયો છે અને દૈનિક પોઝિટિવ દર 2.34% છે.

વેક્સિન ડીલ / બોલ્સોનારોની મુસિબતમાં વધારો, SC એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસનાં આપ્યા આદેશ
ભલે દેશમાં કોરોનાના કેસો ઓછા થયા છે, પરંતુ હજી પણ દરેકને સજાગ રહેવાની ખૂબ જ જરૂર છે. એઇમ્સનાં વડાએ શનિવારે ચેતવણી આપી હતી કે, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર “inevitable” છે, અને તે આગામી છથી આઠ અઠવાડિયામાં દેશમાં પ્રવેશ કરી શકે છે, તેથી થોડી બેદરકારીનું પુનરાવર્તન થઈ શકે તેમ હોવાથી દરેકને ખૂબ કાળજી લેવાની જરૂર છે કારણ કે જો કાળજી લેવામાં બેદરકારી રાખવામાં આવશે તો ભયંકર સ્વરૂપ સામે આવી શકે છે.
