ગઈકાલે રાત્રે મુંબઇના અંધેરી વિસ્તારમાં ચાર માળનું મકાન ધરાશાયીથયું હતું. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઇના અંધેરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કોરોનાનાં દૈનિક કેસમાં ફરી વધારો, શું ત્રીજી લહેરની થઇ રહી છે શરૂઆત?
આ અગાઉ પણ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં મુંબઈના ગોવંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા બિલ્ડિંગ ધરાશાયી થવાને લીધે સાત લોકો ઈજાગ્રસ્ત થયા , જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ
બીએમસીના અધિકારીએ જણાવ્યું કે ફાયર બ્રિગેડની સાત ફાયર ટેન્ડરો અને રેસ્ક્યૂ વાન અને પોલીસ કર્મચારીઓ તેમજ એજન્સીના અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી સાતને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ અન્ય લોકોને સાયનની લોકમાન્ય તિલક મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત, 30 થી લોકો વધુ ગુમ
Maharashtra: A four-storey building collapsed in Andheri area of Mumbai last night. Five people sustained injuries in the incident and were admitted to a hospital. pic.twitter.com/cHu9euJOyH
— ANI (@ANI) July 28, 2021
