વસ્તી ગણતરી/ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે જાતિની વસ્તી ગણતરી થવી જોઇએ,આ સંદર્ભે વડાપ્રધાનને પત્ર લખશે

બિહારના તમામ રાજકીય પક્ષો સાથે આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

Top Stories

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે ફરી એકવાર કહ્યું કે  જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ અને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સંદર્ભમાં પત્ર લખશે. અને આ મુદ્દે બિહારના તમામ પક્ષોના સભ્યો સાથે બેઠક કરી આ અંગે પુછશે, તેમણે દિલ્હીથી બિહાર પરત ફરતી વખતે આ વાત કહી હતી.

આ સાથે તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં કોઈ મતભેદો નથી અને દરેક એક છે. જ્યાં સુધી લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાત છે, તેઓ પાર્ટીની સ્થાપનાથી સક્રિય છે.ઉલ્લેખનીય છે કે, જનતા દળ (યુનાઈટેડ) ના સાંસદ રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ શનિવારે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. લલન સિંહે આરસીપી સિંહની જગ્યા લીધી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી બન્યા બાદ આરસીપી સિંહે જદ (યુ) પ્રમુખપદ છોડી દીધું હતું.

મુખ્યમંત્રી નીતીશ કુમાર અને જેડી (યુ) ના નેતા કેસી ત્યાગીએ રવિવારે ઇન્ડિયન નેશનલ લોક દળ (આઈએનએલડી) ના પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલાને તેમના હરિયાણાના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા. ભાજપના સહયોગી જનતા દળ (યુનાઈટેડ) ના નેતાઓ 86 વર્ષના આઈએનએલડી વડાને એવા સમયે મળ્યા છે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્તરે “ત્રીજા મોરચા” ની રચના માટે લોબિંગ કરી રહ્યા છે. નીતીશ કુમાર અને કેસી ત્યાગીએ અગાઉ ઓમપ્રકાશ ચૌટાલાના પિતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સ્વ.દેવીલાલ સાથે કામ કર્યું હતું.