બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુ સમુદાયને દુર્ગાપૂજા કરતા રોકવામાં આવી રહ્યા છે. એક દિવસ પહેલા ટીપુ સુલતાન રોડ પર આવેલા દુર્ગા મંદિરમાં હિન્દુઓને સ્થાનિક મુસ્લિમો દ્વારા નવરાત્રિ પૂજા કરતા રોકવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આ સંબંધમાં જાણકારી ટ્વીટર પર શેર કરવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે, ઇસ્લામી ચરમપંથીઓ દ્વારા શંખનિધિ મંદિરમાં હિંદુઓ શ્રદ્ધાળુઓને પૂજા કરવામાં આવી ન હતી. બાંગ્લાદેશ સરકારે દુર્ગાપૂજા હિન્દુઓને એક હંગામી જગ્યા આપી છે.
Now Durga Puja is being held in a temporary place. Durga Puja did not stop. We hope one day this puja will be held at our historic Sankhnidhi temple. https://t.co/dmW3fZLk9X pic.twitter.com/CuFoFkKHkG
— Bangladesh Hindu Unity Council (@UnityCouncilBD) October 12, 2021
સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી જાણકારી મુજબ, દુર્ગા મંદિરમાં રહેલા દેવી દેવતાઓની મૂર્તિઓને પણ ત્યાંથી ખસેડી લેવામાં આવી છે, જ્યાં હવે હિન્દુઓ સરળતાથી વ્યવસ્થિત રીતે પૂજા કરી શકશે. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે કહ્યું હતું કે, એક દિવસ અમે હિન્દુ મંદિર બચાવવામાં જરૂરથી સફળ થઇશું. આ સાથે જ કાઉન્સિલ દ્વારા ત્યાંની તસવીર પણ શેર કરવામાં આવી હતી કે જ્યાં દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
We failed. We could not worship at the historic Sankhannidhi Temple on Tipu Sultan Road in Dhaka. The local extremists did not allow us to do pujo. The government has given a temporary place to worship. The idols are being transferred there. One day we will rescue our temple. pic.twitter.com/nIGflELuFa
— Bangladesh Hindu Unity Council (@UnityCouncilBD) October 11, 2021
ઉલ્લેખનીય છે કે, આ મંદિરનું નિર્માણ વર્ષ 1921માં કોલકત્તાના લાલમોહન સાહામાં કરવામાં આવ્યું હતું. મંદિરની સાથે શંખનિધિ હાઉસ પણ બનાવવામાં આવ્યું હતું. 1971માં પાકિસ્તાનથી અલગ પડ્યા બાદ ઘણા હિન્દુઓ બાંગ્લાદેશ જઈને વસ્યા હતા પરંતુ ત્યાની સરકારે શંખનિધિ હાઉસને પ્રાઈવેટ હાથોમાં સોંપી દીધું હતું.
