- રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતનાં પ્રવાસે
- 21મા વાર્ષિક સંમેલનમાં પુતિન આપશે હાજરી
- ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં લેશે ભાગ
- નવી દિલ્હીમાં સંમેલનનું કરાયું આયોજન
- S-400નું મોડેલની પી.એમ મોદીને આપશે ભેટ
- ભારત-રશિયાનાં સંબંધો મજબુત બનાવવા કવાયત
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે કે 6 ડિસેમ્બરે ભારત આવી રહ્યા છે. તેઓ દર વર્ષે યોજાનારી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન પુતિન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દસ દ્વિપક્ષીય કરારો પર પણ હસ્તાક્ષર કરશે.
આ પણ વાંચો – Nagaland Violence / નાગાલેન્ડના મોન જિલ્લામાં હિંસા બાદ અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે SITને સોંપી તપાસ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં સહયોગી યુરી ઉશાકોવનાં જણાવ્યા અનુસાર વ્લાદિમીર પુતિન અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત બાદ બન્ને દેશો કેટલાક ગુપ્ત કરારો સહિત 10 દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરશે. રશિયન સમાચાર એજન્સી ટાસ સાથે વાત કરતા ઉશાકોવે કહ્યું કે, લગભગ 10 દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. દિવસની શરૂઆત 6 ડિસેમ્બરે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઇગુ, લશ્કરી-તકનીકી સહકાર પર આંતર-સરકારી કમિશનનાં સહ-અધ્યક્ષો સાથે થશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાંના કેટલાક ગોપનીય પણ છે. તેમના પર કામ હજુ ચાલુ છે. “અમને ખાતરી છે કે મુલાકાત દરમિયાન તમામ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.”
India and Russia are expected to sign more than 10 agreements following annual talks between PM Modi and President Putin. These agreements will be in the fields of space, culture, science and technology, defence etc.
— ANI (@ANI) December 6, 2021
આ પણ વાંચો – NEET PG કાઉન્સિલિંગમાં વિલંબથી / રેસિડેન્ટ ડોક્ટરો નારાજ, આવતીકાલથી OPD સહિતની ઈમરજન્સી સેવાઓનો બહિષ્કાર કરશે
જો કે, યુરી ઉશાકોવે કરારોનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કરારને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મોટાભાગનાં કરારો વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોનાં વિકાસ માટે મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે 6 ડિસેમ્બરે નવી દિલ્હી આવી રહ્યા છે. લગભગ બે વર્ષ પછી બંને નેતાઓ આમને-સામને થશે. અગાઉ, નવેમ્બર 2019 માં બ્રાઝિલિયામાં બ્રિક્સ સમિટ પછી રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ભારતીય વડા પ્રધાન મોદી વચ્ચે આ પ્રથમ વન-ઓન-વન બેઠક હશે. બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે.
