ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી એ શનિવારે મહારાષ્ટ્રના ભિવંડીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “તેઓ તાજમહેલની નીચે પીએમની ડિગ્રી શોધી રહ્યા છે.”
ઓવૈસી નું આ નિવેદન તાજમહેલ વિવાદના સંદર્ભમાં આવ્યું છે, જે થોડા અઠવાડિયા પહેલા ફાટી નીકળ્યો હતો. આગ્રાના તાજમહેલ ખાતે 22 બંધ ઓરડાઓ પાછળ “સત્ય શોધવા” માટે ભાજપના એક નેતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસ્તવમાં અહીં એક જૂનું શિવ મંદિર છે.
12 મે ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે આવી બાબતો ઈતિહાસકારો પર છોડી દેવી જોઈએ.
‘ભારત દ્રવિડ અને આદિવાસીઓનું છે’
આ જ સંબોધનમાં ઓવૈસી એ કહ્યું કે ભાજપ એ વાત કરે છે કે કેવી રીતે મુગલો ભારતની બહારથી આવ્યા હતા, પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાંથી અન્ય ઘણા સમુદાયોના લોકો પણ ભારતમાંથી આવ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર દ્રવિડ અને આદિવાસીઓ જ ભારતના છે. ઓવૈસીએ કહ્યું, “ભારત ન તો મારું છે, ન ઠાકરેનું, ન મોદી-શાહનું. જો ભારત કોઈનું છે, તો તે દ્રવિડિયન અને આદિવાસીઓનું છે. ભાજપ-આરએસએસ મુગલો પછી જ છે. ભારતની રચના આફ્રિકા, ઈરાન, સેન્ટ્રલ અને પૂર્વ એશિયામાંથી લોકોનું સ્થળાંતર પછી થઈ હતી.
ઓવૈસીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર પણ કટાક્ષ કર્યો, જે હાલમાં કોંગ્રેસ અને શિવસેના સાથે ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સત્તામાં છે. તેમણે કહ્યું, ‘એનસીપીના નેતાઓ વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીને મત આપવાનું કહી રહ્યા હતા જેથી કરીને ભાજપ અને શિવસેનાને રોકી શકાય. ચૂંટણી પછી એનસીપીએ શિવસેના સાથે નિકાહ કર્યા. મને ખબર નથી કે ત્રણ પક્ષમાંથી કઈ દુલ્હન છે.”
આ પણ વાંચો:ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાનો કાર્યભાર હાલ હળવો થશે નહિ : સરકારનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી આજે અમરોહાના ડ્રમવાદકો સાથે ચર્ચા કરી શકે છે
આ પણ વાંચો:બિલ ગેટ્સે ભારતના કર્યા વખાણ, કહ્યું- રસીકરણ અભિયાનની સફળતાથી દુનિયાએ શીખવું જોઈએ

