જાહેરાત/ એર ઈન્ડિયાએ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાની કરી જાહેરાત

કંપનીએ 1 જૂન, 2022 થી 31 જુલાઈ, 2022 વચ્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરનારા કર્મચારીઓ માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે.

Top Stories India

ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ એર ઈન્ડિયાના કાયમી કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે અને લાભો મેળવવા માટે વય માપદંડ 55 થી ઘટાડીને 40 કર્યો છે. આ ઉપરાંત, કંપનીએ 1 જૂન, 2022 થી 31 જુલાઈ, 2022 વચ્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરનારા કર્મચારીઓ માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે.

એરલાઇનના મુખ્ય માનવ સંસાધન અધિકારી દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર,, જે કર્મચારીઓ 1 જૂનથી 30 જૂન, 2022 વચ્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરે છે, તેઓને એક્સ-ગ્રેશિયા સિવાય વધારાના પ્રોત્સાહનો પણ મળશે.”અધિકારીઓએ કહ્યું કે એરલાઈનના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કેબિન ક્રૂને પણ વીઆરએસ આપવામાં આવી રહ્યું છે. હાલના એર ઈન્ડિયા સર્વિસ રેગ્યુલેશન્સ,સ્ટેન્ડિંગ ઓર્ડર્સ મુજબ, કાયમી કર્મચારીઓ 55 વર્ષની ઉંમર સુધી પહોંચીને અને 20 વર્ષની સતત સેવાના માપદંડને પૂર્ણ કરવાને આધીન સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ લઈ શકે છે.