સાઉથ ઈન્ડસ્ટ્રીમાં આત્મહત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક સ્ટાર્સ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આ દરમિયાન મલયાલમ ઈન્ડસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. મલયાલમ અભિનેતા એનડી પ્રસાદે આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ તેના ઘરની નજીક એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.
રિપોર્ટ અનુસાર, એનડી પ્રસાદના પુત્રને તેના પિતાનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો. જે બાદ તેનો સૂટ પોલીસને આપવામાં આવ્યો હતો. 25 જૂને સાંજે 6:30 વાગ્યાની આસપાસ અભિનેતાએ આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાની આત્મહત્યાના સમાચાર સામે આવતા જ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. 43 વર્ષીય અભિનેતાનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. હજુ સુધી આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવ્યું નથી. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, એનડી પ્રસાદ તેમના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પરેશાન હતા. અભિનેતા લાંબા સમયથી તેના પારિવારિક મુદ્દાઓને લઈને ચિંતિત હતો.
અહેવાલો અનુસાર, પ્રસાદની પત્ની થોડા મહિનાઓથી તેનાથી અલગ રહેતી હતી. આ કારણે અભિનેતા ઘરેલું સમસ્યાઓના કારણે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. એનડી પ્રસાદ છેલ્લા ઘણા દિવસોથી ઉદાસ ચાલી રહ્યા હતા. પ્રસાદના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તમને જણાવી દઈએ કે પ્રસાદ વિરુદ્ધ ડ્રગ્સ રાખવાનો કેસ નોંધાયેલો છે. દરોડા દરમિયાન તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ પણ વાંચો:આજે નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે બાંધવામાં આવે છે પાટા?
આ પણ વાંચો:સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?
આ પણ વાંચો:મહિલાનાં ગર્ભાશયમાં હતી બે કિલોની ગાંઠ : શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં થયું સફળ ઓપરેશન
