Political/ જગન મોહન રેડ્ડી આજીવન YSRCPના પ્રમુખ તરીકે ચૂંટાયા,પાર્ટીએ બંધારણ બદલ્યું

આંધ્રપ્રદેશની સત્તાધારી પાર્ટીએ પોતાના બંધારણમાં મોટો ફેરફાર કર્યો છે. વાય.એસ. જગન મોહન રેડ્ડીને આજીવન પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

Top Stories India

આંધ્ર પ્રદેશની સત્તાધારી પાર્ટીએ પોતાના બંધારણમાં મોટો ફેરફાર કર્યો છે. વાય.એસ. જગન મોહન રેડ્ડીને આજીવન પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. શનિવારે અહીં યોજાયેલી પાર્ટીની બેઠકના સમાપન દિવસે રેડ્ડીને સર્વસંમતિથી YSRCPના આજીવન પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે વાયએસ જગન મોહન રેડ્ડીના વતી નામાંકનોના 22 સેટ દાખલ કરવામાં આવ્યા હતા અને અન્ય કોઈ નામાંકન ન હોવાથી, રિટર્નિંગ ઓફિસર દ્વારા તેમને સર્વસંમતિથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

બંધારણમાં બે ફેરફારો પાર્ટીના મહાસચિવ વી વિજયસાઈ રેડ્ડીએ વિશાળ ભીડની તાળીઓના ગડગડાટ વચ્ચે આ જાહેરાત કરી હતી. બેઠકમાં પાર્ટી બંધારણમાં બે મહત્વપૂર્ણ સુધારાઓ પર સહમત થઈ હતી. અગાઉ પાર્ટીનું નામ યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાંથી બદલીને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી કરવાનું હતું જે બાદમાં વાયએસઆરસીપી રાખવામાં આવ્યું હતું. જગને 2011માં કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખ્યા હતા બીજો ફેરફાર પક્ષ પ્રમુખ પદનો કાર્યકાળ આજીવન કરવાનો હતો. YSRCPના આજીવન પ્રમુખ તરીકે વાયએસ જગન મોહન રેડ્ડીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જગન મોહન રેડ્ડીએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડીને માર્ચ 2011માં YSRCPની રચના કરી અને પાર્ટીના અધ્યક્ષ બન્યા.