ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજનો દિવસ રાજ્ય માટે રાજનીતિની દ્રષ્ટીએ ખુબ જ ગરમ રહ્યો છે. આજે રાજ્યની રાજનીતિમાં અલગ-અલગ સ્થળે વિરોધ પ્રદર્શનથી લઇ પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણના મામલા સામે આવ્યા છે ત્યારે નવસારીના ખેરગામ તાલુકામાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો છે જેમા તેઓને આંખના ભાગે ઇજા થઇ છે. આ હુમલા બાદ અનંત પટેલની આંખમાંથી લોહી નીકળ્યું હતું.આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ગુજરાતમાં ‘પાર-તાપી રિવર લિન્ક પ્રોજેક્ટ’ સામે આદિવાસી સમાજ માટે લડત ચલાવનાર અમારા ધારાસભ્ય અનંત પટેલ જી પર ભાજપ દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. આ ભાજપ સરકારનો ગુસ્સો છે. કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદિવાસીઓના હક્કની લડાઈ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે.
गुजरात में ‘पार-तापी रिवर लिंक प्रोजेक्ट’ के खिलाफ आदिवासी समाज की लड़ाई लड़ने वाले हमारे MLA अनंत पटेल जी पर भाजपा द्वारा कायराना हमला निंदनीय है।
यह BJP सरकार की बौखलाहट है। कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता आदिवासियों के हक़ की लड़ाई के लिए आख़िरी साँस तक लड़ेगा।#DaroMat pic.twitter.com/rf9OY76lCZ
— Rahul Gandhi (@RahulGandhi) October 8, 2022
ઉલ્લેથનીય છે કે નવસારીમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામ બજાર પાસેથી પસાર થતી વખતે હુમલો કરાયો હતો. અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમ્યાન આ ઘટના બની છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને રીન્કુ નામના ભાજપના કાર્યકર દ્વારા હુમલો કર્યાની શંકા સેવાઇ રહી છે. ત્યાં જ ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ અને ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા.
