Karnataka Elections 2023/ સોનિયા ગાંધીએ ચૂંટણી રેલીમાં ભાજપ પર કર્યા પ્રહાર, કહી આ મોટી વાત

કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના છેલ્લા તબક્કામાં છે, કોંગ્રેસના પ્રચાર માટે હુબલી પહોંચેલા સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

Top Stories India

કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના છેલ્લા તબક્કામાં છે. કોંગ્રેસના પ્રચાર માટે હુબલી પહોંચેલા સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાં પાર્ટીએ પોતાના તમામ વચનો પૂરા કર્યા છે.

કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ પર પ્રહાર કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, “ભાજપ સરકારની લૂંટ, જુઠ્ઠાણા, ઘમંડ અને નફરતના વાતાવરણમાંથી મુક્ત થયા વિના કર્ણાટક આગળ વધી શકતું નથી કે દેશ આગળ વધી શકતો નથી. આ લોકો ખુલ્લેઆમ ધમકી આપે છે કે જો ભાજપ ચૂંટણી હારી જશે તો કર્ણાટકને પીએમ મોદીના આશીર્વાદ નહીં મળે. હું તેમને કહેવા માંગુ છું કે કર્ણાટકના લોકો એટલા કાયર અને લોભી નથી. તેમના (ભાજપ) અનુસાર, લોકોનું ભવિષ્ય સરકારના આશીર્વાદ પર નિર્ભર છે.”

ભારત જોડો યાત્રાના વખાણ કરતાં તેમણે કહ્યું કે, “જેનું કામ નફરત ફેલાવવાનું છે તેમની વિરુદ્ધ ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ લોકોએ (ભાજપ) દેશમાં નફરતનું વાતાવરણ ઊભું કર્યું છે. આવા લોકો કર્ણાટકનો ક્યારેય વિકાસ કરી શકતા નથી. ભારત જોડો યાત્રાથી ભાજપને આંચકો લાગ્યો છે. ભાજપના લોકો કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી. તેઓ વિચારે છે કે લોકશાહી સિદ્ધાંતો તેમના ખિસ્સામાં છે. શું લોકશાહી આ રીતે કામ કરે છે?”

કર્ણાટકના લોકોને અપીલ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, “કર્ણાટકના લોકો લોભી નથી કે તમે (ભાજપ) તેમને છેતરીને ગેરમાર્ગે દોરશો. આ લોકો તમારા કમિશનનો જવાબ આપવા તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી તમામ લોકોના ભલા માટે કામ કરે છે. 10મીએ અહીંના લોકો કોંગ્રેસની સરકાર લાવવાના છે.