Morbi News/ મોરબીમાં નદીમાં ઠલવાતા કેમિકલથી માછલીઓના મોત

મોરબીમાં નદીમાં ઠાલવવામાં આવતા કેમિકલના લીધે માછલીઓના મોત થયા છે. ઘુંટુ ગામ નજીકની કેમિકલ ફેક્ટરીએ નદીમાં કેમિકલ નાખ્યાનું અનુમાન છે. માછલીઓના મોતથી ગંદકી તેમજ દુર્ગંધ ફેલાઈ છે.

Gujarat Rajkot Breaking News

Morbi News:  મોરબીમાં નદીમાં ઠાલવવામાં આવતા કેમિકલના લીધે માછલીઓના મોત થયા છે. ઘુંટુ ગામ નજીકની કેમિકલ ફેક્ટરીએ નદીમાં કેમિકલ નાખ્યાનું અનુમાન છે. માછલીઓના મોતથી ગંદકી તેમજ દુર્ગંધ ફેલાઈ છે.

નદીમાં માછલીઓના સામૂહિક મોતના કારણે પરેશાની ઉભી થઇ છે. કિનારે પડેલી અસંખ્ય માછલીઓના સબને પક્ષીઓ કુતરાઓ પીંખી રહ્યા છે અને મૃત માછલીઓને લઈ હવામાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. આ ઘટના પ્રકાશમાં આવવાના પગલે કોર્પોરેશને પાણી પર ચૂનાનો છંટકાવ કર્યો હોવાના સમાચાર છે.

જો કે આજે તો નદીમાના કેમિકલ પાણીના લીધે માછલીઓ મરી રહી છે. આગામી સમયમાં તેના કારણે માનવીઓના આરોગ્ય પર અસર પડે તો નવાઈ નહીં લાગે. આ જ પાણીનો ઉપયોગ પીવામાં પણ થાય છે. તેથી તંત્રએ તાકીદના પગલાં ન લીધા તો સ્થિતિ વધુ વણસી શકે છે. આ ઘટનાના લીધે જીવદયાપ્રેમીઓ પણ નારાજ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ

આ પણ વાંચો: GST: રાજ્યમાં સાત વર્ષમાં પકડાયું એક લાખ કરોડનું બોગસ બિલિંગ

આ પણ વાંચો: મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન

આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ