મધ્યપ્રદેશના છતરપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેની પત્નીના એક-બે નહીં પરંતુ 5 પતિ છે અને તેને તે બધાને કોઈને કોઈ બાબતમાં ફસાવી દીધા છે અને હવે તે તેને ફસાવવા માંગે છે. અરજદાર ફૂલચંદ કુશવાહાએ જણાવ્યું કે તેની પત્ની બ્યુટી પાર્લર ચલાવે છે અને હું તેના ધંધાની વિરુદ્ધ હતો જેના કારણે તે ગુસ્સે થઈ ગઈ અને તેણે મારા વિરુદ્ધ સિવિલ લાઈન પોલીસ સ્ટેશન છતરપુરમાં ખોટી ફરિયાદ નોંધાવી.
અરજદાર કુશવાહાએ જણાવ્યું કે, વિનીતા ઉર્ફે સલમાએ પ્રેમ જાળમાં ફસાવીને 2011માં મારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી મને તેના બ્યુટી પાર્લરના ધંધા વિશે ખબર પડી અને એ પણ જાણવા મળ્યું કે તે બ્યુટી પાર્લરની આડમાં ઘણા સામાજિક તત્વો સાથે સંબંધ ધરાવે છે. પતિ ફૂલચંદે પણ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી પત્ની વિનીતા ઉર્ફે બ્રિજેશ અને સલમાએ વર્ષ 2000માં રામવીર તોમર સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેણે તોમરની સંપત્તિ હડપ કરી લીધી અને વર્ષ 2006માં તેનાથી અલગ થઈ ગઈ.
ફૂલચંદે એ પણ જણાવ્યું કે તેને પોતાનું નામ અને ધર્મ બદલીને ભૂરે ખાન નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા. જ્યારે તેને ભૂરે ખાનની મિલકત પણ હડપ કરી લીધી, ત્યારે તેને ફરીથી ધર્મ પરિવર્તન કર્યું અને વિનીતા સિંહ બની અને વર્ષ 2008માં અજય ખારૈયા સાથે લગ્ન કર્યા. થોડા વર્ષો બાદ 2009માં તેણે છતરપુરના રહેવાસી જગદીશ પ્રસાદ સિંહ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ 2011માં અરજદાર સાથે લગ્ન કર્યા બાદ હવે તે અરજદારને તેના પ્રેમીઓ સાથે મળીને જાનથી મારી નાખવાની અને પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપી રહી છે. જે બાદ અરજદાર ફૂલચંદ ડરી ગયો અને પોતાની ફરિયાદ લઈને એસપી ઓફિસ પહોંચ્યો. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:જગન્નાથ મંદિરનું રત્ન ભંડાર 14 જુલાઈથી ખુલશે તેવી શક્યતા, છેલ્લે 1978માં ખોલવામાં આવી હતી
આ પણ વાંચો:કોણ છે પૂજા ખેડેકર? નકલી સર્ટિફિકેટ સાથે લીધી IASની નોકરી લાઇફ સ્ટાઇલ જાણીને તમે પણ ચોંકી જશો
આ પણ વાંચો:UPના ફિરોઝાબાદમાં SDM સહિત પાંચ સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો
