Entertainment News: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની સાસુ અને તેમના પત્ની જયા બચ્ચન (Jaya Bachchan)ની માતા ઈન્દિરા ભાદુરીનું નિધન થયાના સમાચાર મળ્યા હતા. જોકે, તે ખોટા છે તેમજ તેમની ઘરમાં કામ કરતી બાઈએ આ માહિતી આપી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
આ સમયે બચ્ચન પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરીએ (Indira Bhaduri) ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી 94 વર્ષની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્દિરા ભાદુરી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી જેના કારણે તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
![]()
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બચ્ચનને દાદીના નિધનના સમાચાર મળતા જ તે ભોપાલ ગયો હતો. માતાના અવસાન બાદ જયા પણ ભોપાલ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આખો બચ્ચન પરિવાર પ્રાઈવેટ જેટ દ્વારા મુંબઈથી ભોપાલ રવાના થઈ ગયો છે.
આ પણ વાંચો:ગોલ્ડીબ્રારની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી વિવાદમાં, સલમાન સિવાય આ લોકો પણ છે Hit Listમાં
આ પણ વાંચો:રેખા અમિતાભ બચ્ચન અને જયા સાથે લોંગ ડ્રાઈવ પર જતી,‘બંને આગળની સીટ પર બેસતા અને…’
