Kheda News : ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનના પેસેન્જર્સને અધવચ્ચે ઉતારી દેવાતા હોબાળો મચ્યો છે. જેમાં મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનના પેસેન્જરોને નડિયાદ સ્ટેશને ઉતારી દેવામાં આવ્યા હતા. આ પેસેન્જરોને જાણકારી વગર નડિયાદ સ્ટેશને ઉતારી દેવાતા તેઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. જેને કારણે આ મુસાફરો 2000 – 2500 રૂપિયા ભાડા ખર્ચી ટેક્ષીમાં જવા મજબૂર બન્યા હતા.
તે સિવાય મુસાફરો સામાન લઈને સ્ટેશન પર રઝળતા જોવા મળ્યા હતા. ટ્રેનમાંથી આ પ્રવાસીઓને ઉતારી દેવામાં આવતા નડિયાદ બસ સ્ટેન્ડ પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ
આ પણ વાંચો: હવે ભાજપના સાંસદો પણ ઈકો-સેન્સિટિવ ઝોનને લઈને થયા ‘સેન્સિટિવ’
આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ
