Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પ્રથમ વખત નવી દિલ્હી (New Delhi) જવાના છે. આગામી 24 મેનાં રોજ નીતિ આયોગ (Niti Ayog)ની બેઠકમાં હાજરી આપશે. 26 અને 27 મેનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાત પ્રવાસે આવશે.
CM ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત દેશનાં NDA શાસકીય મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી પુરાવશે તેમ જાણવા મળેેલ છે. માહિતી મુજબ 24 મેનાં રોજ નીતિ આયોગ (Niti Ayog)ની મહત્વની બેઠક યોજાશે, જેમાં મુખ્ય સચિવો (Chief Secretary) પણ હાજર રહેશે. CM પટેલનો દિલ્હી પ્રવાસ ગોઠવાતા મંત્રીમંડળમાં કોઈ ફેરફાર આવશે કે શું તે અંગે લોબીમાં ચર્ચાઓને વેગ મળ્યો છે. આગામી દિવસોમાં કોઈ મોટી હલચલ દેખાય તેના પણ સંકેતો મળી રહ્યાં છે. કેબિનેટ બે્ઠક (Cabinet Meeting)માં મંત્રીઓની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી શકે છે. હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કે કોઈને છુટા કરાશે તે આગળનો સમય બતાવશે.
આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલે સરહદી જિલ્લાઓની સમીક્ષા કરી
આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલ સાથે PMએ ટેલિફોનિક વાતચીત કરી, સુરક્ષા મુદ્દે માર્ગદર્શન આપ્યું
