બિહારના પૂર્ણિયામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક કાર તળાવમાં પડી જતાં 8 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં એક કાર તળાવમાં પડી જતાં આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તમામ 8 મૃતદેહો મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ તમામ લોકો તારાબાડીથી આવીને કિશનગંજ જઈ રહ્યા હતા. અકસ્માતમાં 2 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો દીકરીના લગ્ન માટે તિલક કરીને પરત ફરી રહ્યા હતા.
8 લોકોના મોત થયા
આ ઘટના પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામ પાસે ત્યારે બની જ્યારે કેટલાક લોકો તેમની પુત્રીના લગ્ન માટે તિલક કરીને કારમાંથી પાછા ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ તમામ લોકો પુત્રીનું તિલક કરવા તારાબડી ગયા હતા. ત્યાંથી તે પોતાના જિલ્લા કિશનગંજ પરત ફરી રહ્યો હતો. દરમિયાન માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો.
Bihar | Eight people died in Kanjia village of Purnia district late last night after their vehicle fell into a pond.
Police say, "8 bodies recovered. They were coming from Tarabadi & going to Kishanganj when it happened. 2 people safely rescued. Bodies being sent for postmortem" pic.twitter.com/qSbYIbFn7j
— ANI (@ANI) June 11, 2022
મૃતકો કિશનગંજના રહેવાસી
પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં દુર્ઘટનાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે બાદ એમ્બ્યુલન્સ આવી અને તમામ મૃતદેહોને તેમાં રાખવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો કિશનગંજ જિલ્લાના રહેવાસી હતા.
આ પણ વાંચો: ડેનમાર્કના રાજદૂતે CM અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ
