ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે કોરોના વેક્સીન અંગે મોટી જાહેરાત કરી છે. સપાનાં વડાએ શનિવારે કહ્યું હતું કે, હુ તાજેતરમાં કોરોનાની વેક્સીન લગાવીશ નહી, કારણ કે મને ભાજપ પર વિશ્વાસ નથી. અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આપણે ભારતીય જનતા પાર્ટીની રસી લગાવી શકીએ નહી.
દરમિયાન, જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ અખિલેશ યાદવનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી કે, તેઓ ખુશીથી કોરોના રસી લગાવશે. તેમણે કહ્યું કે, કોઈ રસી કોઈ પણ પક્ષની હોતી નથી. ઉમર અબ્દુલ્લાની આ પ્રતિક્રિયા અખિલેશ યાદવનાં નિવેદન પર આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપની રસી નહીં લગાવે. અખિલેશનાં નિવેદન પર ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું હતું કે, “હું બીજા કોઈ વિશે જાણતો નથી, પરંતુ જ્યારે મારો વારો આવશે ત્યારે હું રાજીખુશીથી લગાવીશ અને કોરોના રસી લઈશ.” આ વાયરસ ખૂબ નુકસાનકારક રહ્યો છે. જો કોઈ રસી બધી ઉથલ-પાથલ પછી સામાન્યતા લાવવામાં મદદ કરે છે તો પછી મને પણ શામેલ કરો.
I don’t know about anyone else but when my turn comes I’ll happily roll up my sleeve & get a COVID vaccine. This damn virus has been far too disruptive & if a vaccine helps bring about a semblance of normalcy after all the chaos then sign me up. https://t.co/bVOw7lPJ6w
— Omar Abdullah (@OmarAbdullah) January 2, 2021
આ સિવાય અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, આ રસી માનવતા માટે છે કોઈ રાજકીય પક્ષની નથી. અબ્દુલ્લાએ કહ્યું કે, જેટલા લોકોને રસી આપવામાં આવે છે તે દેશ અને અર્થતંત્ર માટે વધુ સારું રહેશે. કોઈ રસી કોઈ રાજકીય પક્ષની નથી, તે માનવતાની છે અને નબળા લોકોને જેટલી જલ્દી રસી અપાય છે તેટલું સારું. સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, જે સરકાર તાળીઓ પાડતી હતી અને થાળી વગાડી રહી હતી, તે રસીકરણ માટે આટલી મોટી સાંકળ કેમ બનાવી રહી છે? તાળી અને થાળીમાંથી કોરોના વાયરસ ભગાવી દો ને.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
