Maharashtra News: બદલાપુર અને કોલ્હાપુરમાં બનેલી ઘટનાને કારણે લોકોનો ગુસ્સો શમ્યો નથી અને રત્નાગીરીમાં પણ એક તાલીમાર્થી નર્સ પર બળાત્કારનો મામલો સામે આવી રહ્યો છે. આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી રિક્ષાચાલક છે. તેણે નર્સને નશાયુક્ત પાણી પીવડાવ્યું, ત્યારબાદ તેણે દુષ્કર્મ આચર્યું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છોકરી તેના ઘરે જવા માટે ઓટો લઈ ગઈ હતી અને ઓટો ચાલકે છોકરીને પાણીમાં કોઈ નશો ભેળવી દીધો, જેના કારણે તે બેભાન થઈ ગઈ. જે બાદ આરોપી રિક્ષાચાલક મહિલાને એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો. હોશમાં આવ્યા બાદ છોકરીએ તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ યુવતીની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગત રાત્રે કેટલાક લોકોએ આ ઘટનાનો વિરોધ કરીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. હાલ પોલીસ સીસીટીવી દ્વારા આરોપીને શોધી રહી છે અને પીડિત છોકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:મેળામાં આવેલી એક મહિલા પર 12 લોકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર
