Jammu: ઉનાળાની ઋતુમાં જ તમે વૈષ્ણોદેવી દર્શન કરવા જાઓ છો અને તમાકુ, સિગારેટ, કે પદાર્થનું સેવન કરતા દેખાયા તો દંડ ભરવો પડી શકે છે. કટરાના જીલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું કે, ભક્તોની આસ્થાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવલા આવે છે. ઘણા લોકો તમાકુ, સિગારેટ સાથે પકડાયા હતા. બાદમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે લોકો પણ તમાકુ, સિગારેટનું ખરીદ અને વેચાણ કરતાં પકડાયા તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
તમાકુ ખાવા અને સિગારેટ પીનારાઓ પર પ્રતિબંધ
કટરાના નોમાઈ, પંથાલ અને તારાકોટ માર્ગના શરૂઆતમાં આવતા સ્થળો થી મંદિર સુધી 13 કિલોમીટર સુધીના દાયરામાં તમાકુન વેચાણ પર પ્રથિબંધ મૂક્યો છે. ઉપરાંત સખ્ત કાર્યવાહી કરવાના પણ આદેશો આપ્યા છે.
આ માર્ગ પર સિક્યોરિચી ચેકિંગ પણ રહે છે. પણ ઘણા લોકો નશાનો સામાન છુપાવીને રાખતા હોય છે. કેટલીક વખત ભક્તોને યાત્રિકો દ્વારા થતી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. 2024માં ભ્રતોની સંખ્યાએ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. મંદિર પ્રશાસને સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો છે. માર્ચ સુધી 10 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં ફરી ખીલ્યું કમળ, ઇટાનગરમાં ફટાકડા ફોડ્યા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
આ પણ વાંચો: INDIA Alliance કેટલી સીટો જીતશે પર રાહુલ ગાંધીનો જવાબ,કહ્યું સિદ્ધુ મુસેવાલાનું ગીત સાંભળો
