બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. કોર્ટે NCB ને આ 3 દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. જે બાદ મામલાની વધુ સુનાવણી થશે. આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા એક વૈભવી ક્રૂઝ શિપ પર રેવ પાર્ટીમાં પકડાયા હોવાના અહેવાલ છે. આ કારણોસર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ તેને કસ્ટડીમાં લીધો અને બાદમાં તેની ધરપકડ કરી. આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

આ પણ વાંચો :જ્યારે અમિતાભ બચ્ચન ડૂબી ગયા હતા દેવમાં, ત્યારે આ સેલિબ્રિટીએ લંબાવ્યો હતો મદદનો હાથ
Drugs-on-cruise case | Accused Aryan Khan's lawyer Satish Maneshinde says, "It is natural that if bail application is rejected by a court, we move to the higher court. We've filed the bail application here (Special NDPS court in Mumbai). Hearing is likely to take place today." pic.twitter.com/hUseB4ZbMo
— ANI (@ANI) October 11, 2021
આજે કોર્ટમાં આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે અને અમીર દેસાઈ ઉપરાંત શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી પણ કોર્ટમાં પહોંચી હતી. આર્યન ખાનનો કેસ કોર્ટની યાદીમાં સામેલ ન હોવાથી આર્યનની જામીન અરજી અન્ય કેસોની સુનાવણીની મધ્યમાં સુનાવણી કરવામાં આવી હતી. આ પહેલા 8 મી ઓક્ટોબરે મુંબઈના મેજિસ્ટ્રેટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. મુંબઈની ફોર્ટ કોર્ટે દલીલ કરી હતી કે તેને આર્યનના જામીન પર સુનાવણી કરવાનો અધિકાર નથી. કોર્ટે અન્ય બે આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની અરજી પણ ફગાવી દીધી હતી.

આ પણ વાંચો :કંગના રનૌતે પોતાની પોસ્ટ મારફતે શાહરૂખ ખાન પર કર્યા પ્રહાર, કહ્યું, -જેકી ચાને તેના પુત્રની ધરપકડ….
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શનિવારે જણાવ્યું હતું કે કોર્ડેલિયા ક્રૂઝ પર રેવ પાર્ટી પર દરોડા પાડીને કુલ 14 લોકોની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તેમની સામે કોઈ આક્ષેપજનક પુરાવા મળ્યા ન હોવાથી 6 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આર્યન ખાનને મુંબઈની આર્થર જેલની બેરેક નંબર 1 માં રાખવામાં આવ્યો છે. જેલમાં ખાસ ક્વોરેન્ટાઇન બેરક છે, જ્યાં આર્યન ખાનને 5 દિવસ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. જોકે આ સમય દરમિયાન તેને જેલના કપડા પહેરવાની જરૂર રહેશે નહીં, પરંતુ તેની સાથે અન્ય કેદીઓની જેમ વર્તન કરવામાં આવશે. એટલે કે આર્યન ખાને પણ અન્ય કેદીઓની જેમ જેલનું ભોજન લેવું પડશે. જેલના નિત્યક્રમ મુજબ આર્યને સવારે 6 વાગ્યે ઉઠવું પડશે. બ્રેકફાસ્ટ 7 વાગ્યે મળશે, લંચ 11 વાગ્યે મળશે.
આ પણ વાંચો : પતિ નિક સાથે મ્યુઝિક કોન્સર્ટમાં મોજથી ઝૂમી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ વીડિયો
આ પણ વાંચો :જ્યારે મેં મોટો દિકરો ગુમાવ્યો ત્યારે શાહરુખ જ મારી પાસે આવ્યો હતો : શેખર સુમન
આ પણ વાંચો :તાહિરા કશ્યપે કહ્યું – તંદુરસ્ત જ્યુસ પણ હોઈ શકે છે હાનિકારક, ICUમાં રહેવાની નોબત આવી ગઈ
