Surat News/ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં જમીન પર સુવડાવીને સારવાર અપાય છે

સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 10 02T193842.331 સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં જમીન પર સુવડાવીને સારવાર અપાય છે

Surat News :  સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સુવાડીને સારવાર કરાતી હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. ઓછા બેડને કારણે દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે.  સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે અન્ય બેડની સુવિધા નહી હોવાથી દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે,સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.સુરતની નવી હોસ્પિટલમાં દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે દર્દીઓમાં આક્રોશ જોવા મળ્યો છે,દર્દીઓનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં નીચે સુવડાવીને સારવાર કરવામાં આવે છે સાથે સાથે હોસ્પિટલમાં કચરો પણ જોવા મળે છે અને કયારેક કૂતરા પણ અંદર સુધીને આવીને જતા રહે છે.

તંત્ર દ્રારા સરખી સારવાર કરવામાં નહી આવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.બેડ છે નહી જેના કારણે આવી સ્થિતિનું સર્જન થયું છે.સુરતમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો વધ્યો છે જેના કારણે દર્દીઓને સારવાર મળવામાં મુશ્કેલી પડી રહી છે,દર્દીઓનું કહેવું છે કે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો વધ્યો છે જેના કારણે ઓપીડીની સંખ્યા પણ વધી ગઈ છે,દર્દીઓની સંખ્યા વધતા સુરત સિવિલ હોસ્પિટલ પણ મેનેજ કરવામાં નિષ્ફળ નિવડયું છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે.ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કાંકરેજમાં કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: દ્વારકામાં મોટો અકસ્માત, બે બસ અને બાઇક વચ્ચે ટક્કર, 8 લોકોના મોત

આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત