આ સમયે ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા સેના સજાગ છે. દરમિયાન બુધવારે મોડી રાત્રે વાયુસેનાનાં ચીફ આર.કે.એસ. ભદોરિયાએ લેહ એરબેઝની મુલાકાત લીધી હતી. હવાઈ દળ હાલમાં લેહ-લદ્દાખ ક્ષેત્રમાં એલર્ટ પર છે, તેવા સંજોગોમાં આ પ્રવાસનું મહત્વ ખૂબ વધારે છે.
જો સુત્રોનું માનીએ તો, એરફોર્સ ચીફ આરકેએસ ભાદોરિયા બુધવારે રાત્રે શ્રીનગર-લેહ એરબેઝ પર પહોંચ્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને આર્મી ચીફ એમ.એમ.નારવાણે વચ્ચે મુલાકાત બાદ આ પ્રવાસ શરૂ થયો હતો. ચીન સાથે ચાલી રહેલા વિવાદમાં સરહદ નજીક લેહ અને શ્રીનગર એરબેઝ ખૂબ મહત્વના છે. આવી સ્થિતિમાં, વાયુ સેનાનાં વડાએ અહીંની તૈયારીઓ અને આવશ્યકતાઓની તપાસ કરી.
IAF Chief visits Leh to review Ladakh operations, fighter aircraft moved to forward bases
Read @ANI Story | https://t.co/6XgXnLTbrA pic.twitter.com/SRvgOmQ9oE
— ANI Digital (@ani_digital) June 19, 2020
આપને જણાવી દઈએ કે વાયુસેનાએ લદ્દાખ ક્ષેત્રની નજીક મિરાજ 2000 નો કાફલો પણ ખસેડ્યો છે, જેથી તેને તાત્કાલિક ચીનની સરહદમાં ખસેડી શકાય. આ કાફલાએ બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. અગાઉ સુખોઈ-30 ને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યો હતો અને ટોચની એરબેઝ પર તૈનાત કરાયો હતો. ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે લદ્દાખમાં અપાચે અને ચિનૂક જેવા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે, જેથી સૈનિકોને તાત્કાલિક મદદ મળી શકે. અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
