Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 903 લોકોનાં મોત

  ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા 66 લાખને વટાવી ગઈ છે. એક જ દિવસમાં લગભગ 75000 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 74,442 નવા કેસ નોંધાયા છે. ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા વધીને 66,23,815 થઈ ગઈ છે. વળી છેલ્લા […]

Uncategorized
 

ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા 66 લાખને વટાવી ગઈ છે. એક જ દિવસમાં લગભગ 75000 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 74,442 નવા કેસ નોંધાયા છે.

ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા વધીને 66,23,815 થઈ ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 903 દર્દીઓનાં મૃત્યુ કોરોનાને કારણે થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,02,685 મૃત્યુ નોંધાયા છે. જોકે રાહત એ છે કે છેલ્લા 24 કલાકમાં 76,737 દર્દીઓ ઠીક થયા છે. આ સમયગાળા દરમિયાન નોંધાયેલા કોરોનાનાં નવા કેસો કરતા આ આંકડા વધારે છે. અત્યાર સુધીમાં, કુલ 55,86,703 દર્દીઓ કોરોનાવાયરસને હરાવી શક્યા છે. દેશમાં કોવિડ-19 સક્રિય કેસની 9,34,427 સંખ્યા છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.