Vadodara News: વડોદરામાં છેલ્લા ઘણાં સમયથી પીવાનું દૂષિત પાણી આવી રહ્યું છે. ખાડિયાપોળમાં 6 મહિનાથી નળમાં ગંદુ પાણી આવતાં નાગરિકો હેરાન થઈ રહ્યાં છે. વડોદરા મનપાને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર જરાય ધ્યાન આપી રહ્યું ન હોય તેમ જણાઈ રહ્યું છે.
વડોદરા શહેરમાં પ્રજા ખાસ કરીને મહિલાઓ નળમાં પીવાનું પ્રદૂષિત પાણી આવતાં રોષે ભરાઈ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાં થઈ રહ્યાં છે. તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે. ગંદુ પાણી પીવાથી લોકોને બિમારી પણ થઈ રહી છે તેમ જાણવા મળ્યું છે. ત્યારે ખાડિયાપોળ વિસ્તારના નાગરિકો પણ દૂષિત પાણી પીવાને કારણે ત્રાહિત થયા છે. સરકારને ચોખ્ખું પાણી પૂરૂ પાડવાની માગ કરી છે.
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાના પરિવારને કરાયો રેસ્ક્યું
આ પણ વાંચો: વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં…
આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ