Jamnagar News/ જામનગર જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરીનો પ્રારંભ

જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14-જામવંથલી બેઠકનું 43.94 ટકા મતદાન થયું હતું.

Top Stories Gujarat Breaking News
Image 34 જામનગર જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરીનો પ્રારંભ

Jamnagar News: જામનગર (Jamnagar) જીલ્લાની જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જામનગર તાલુકા પંચાયતના (Panchayat) મતદાર મંડળ 14-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યું હતું. જેની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં શરુ થઇ છે.

WhatsApp Image 2025 02 18 at 9.13.37 AM જામનગર જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરીનો પ્રારંભ

સવારે 9:00 કલાકથી ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, 14-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે થઇ રહી છે.

WhatsApp Image 2025 02 18 at 9.13.38 AM જામનગર જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરીનો પ્રારંભ

ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લાની ત્રણ નગરપાલિકાઓ જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ બેઠકનું કુલ 62.95 ટકા મતદાન થયું હતું. તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14-જામવંથલી બેઠકનું 43.94 ટકા મતદાન થયું હતું. આ બેઠકોની મત ગણતરીનો સવારથી પ્રારંભ થઇ ચુક્યો છે.

-સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તલોદ નગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ 73 ટકા મતદાન નોધાયું

આ પણ વાંચો:જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 63 ટકા મતદાન

આ પણ વાંચો:રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન