વૈજ્ઞાનિકોને ન્યુમોનિયાથી પીડિત કેટલાક લોકોમાં કૂતરાઓમાં જોવા મળતા એક નવા પ્રકારનાં કોરોનાવાયરસ મળી આવ્યા છે. અ સાંભળવામાં ભલે ખતરનાક લાગે , પરંતુ તેનું વિશ્લેષણ કર્યા પછી, એવું લાગે છે કે આને કારણે તમારે અસ્વસ્થ થવાની જરૂર નથી.
મલેશિયાના સારાવાકની એક હોસ્પિટલમાં આઠ લોકોમાં કૂતરાઓનો કોરોનાવાયરસ મળી આવ્યા હોવા અંગે ઉચ્ચ સન્માનીય આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના જુથે ક્લિનિકલ ચેપી રોગ વિભાગને અહેવાલ આપ્યો છે. હવે કહી શકાય કે કુતરા પણ મનુષ્યમાં કોરોના વાઈરસ ફેલાવી શકે છે.
![]()
પ્રથમ વસ્તુ એ છે કે કૂતરાઓનો કોરોનાવાયરસ શું છે. એ નોંધવું અગત્યનું છે કે તે સાર્સ-કોવી -2 કરતા એકદમ અલગ છે, વાયરસ કે જેનાથી COVID-19 થાય છે. કોરોનાવાયરસ પરિવારને વાયરસના ચાર જૂથોમાં વહેંચી શકાય છે: આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા કોરોનાવાયરસ.
સાર્સ-કોવી -2 બીટા કોરોનાવાયરસ જૂથ સાથે સંબંધિત છે, જ્યારે કૂતરાના કોરોનાવાયરસ સંપૂર્ણપણે અલગ આલ્ફા કોરોનાવાયરસ જૂથમાંથી છે. વૈજ્ઞાનિકો લગભગ 50 વર્ષથી કુતરાઓના કોરોનાવાયરસ વિશે જાણે છે. આ સમયગાળા દરમિયાન, આ વાયરસ અજાણ્યા અસ્તિત્વ સાથે હયાત છે. અને ફક્ત પશુચિકિત્સકો અને કેટલીકવાર કૂતરાના માલિકો તેના વિષે જાણકારી ધરાવતા હતા.

આ વાયરસ મનુષ્યને કેવી રીતે ચેપ લગાવે છે તે વિશે અગાઉની કોઈ માહિતી નથી. પરંતુ હવે, વિશ્વના દરેક જગ્યાએ કોરોનાવાયરસ પર દરેકની નજર છે. કોરોનાવાયરસની હાજરી એવી જગ્યાઓ પર પણ જોવા મળે છે જ્યાં તે પહેલાં ક્યારેય નહોતી મળી. તાજેતરમાં, લોકોમાં મળેલા કૂતરાંના કોરોનાવાયરસ ખરેખર આ દિશામાં ગંભીર શોધનું પરિણામ હતું. જેમને આ શોધનો ભાગ બનાવવામાં આવ્યા હતા તેઓ ઘણા લાંબા સમય પહેલા સાજા થયા હતા.
વૈજ્ઞાનિકો ખાસ કરીને માત્ર કૂતરાના કોરોનાવાયરસ શોધી રહ્યા ન હતા, સંશોધકો એક પરીક્ષણ વિકસાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા જે એક જ સમયે તમામ પ્રકારના કોરોનાવાયરસને શોધી શકે છે – એક કહેવાતી પાન-સીઓવી પરીક્ષણ. પ્રયોગશાળાઓમાં તૈયાર થયેલા વાયરસ નમૂનાઓ પરના પરીક્ષણ કાર્યની પુષ્ટિ કર્યા પછી, તેમણે મલેશિયામાં હોસ્પિટલમાં દાખલ ન્યુમોનિયાવાળા 192 દર્દીઓના નમૂનાઓ પર તેની તપાસ કરી. આમાંના નવ નમૂનાઓના સંશોધન કોરોનાવાયરસ માટે પોઝીટીવ પરિણામ આવ્યું છે.

વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ઉપરોક્ત નવ નમૂનાઓમાંથી પાંચ સામાન્ય માનવ કોરોનાવાયરસ હતા જે શરદીનું કારણ બની શકે છે. પરંતુ, આશ્ચર્યજનક રીતે, ચાર નમુનાઓ કૂતરાઓમાં જોવા મળતા કોરોનાવાયરસના હતા. આ જ હોસ્પિટલના દર્દીઓની વધુ તપાસ બાદ વધુ ચાર હકારાત્મક દર્દીઓ બહાર આવ્યા.
કૂતરાઓમાં જોવા મળતા કોરોનાવાયરસ વિશે વધુ જાણવા પ્રયાસમાં સંશોધનકારોએ મલેશિયાના આઠ દર્દીઓના નાક અને ગળાના નમૂનાઓ તપાસ્યા. કોઈ જીવંત વાયરસ છે કે કેમ તે શોધવા માટે આ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરીને વાયરસના કણોની તપાસ કરવામાં આવી હતી. અને આ વાયરસ જીનોમને અનુક્રમિત કરવામાં સક્ષમ હતા.
વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે કૂતરાઓમાં જોવા મળતા કોરોનાવાયરસ થોડા જુદા જુદા આલ્ફાકોરોનાવાયરસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે – જેમાં ડુક્કર અને બિલાડીઓનો સમાવેશ થાય છે – અને તે પણ બહાર આવ્યું છે કે અગાઉ તેની ઓળખ બીજે ક્યાંય મળી ન હતી.
આગળ ફેલાવાના કોઈ પુરાવા નથી હવે પ્રશ્ન ઉભો થાય છે કે શું કૂતરાઓમાં જોવા મળતો આ કોરોનાવાયરસ દર્દીઓમાં ન્યુમોનિયા માટે જવાબદાર હતો? અત્યારે, આ સવાલનો જવાબ વૈજ્ઞાનિકો આપી શકતા નથી. તપાસમાં ભાગ લેનારા આઠ દર્દીઓમાંથી સાતને એક સાથે બીજા વાયરસથી પણ ચેપ લાગ્યો હતો, જે ક્યાં તો એડેનોવાઈરસ, ઈન્ફલ્યુએન્ઝા અથવા પેરેનફ્લુએન્ઝા વાયરસ હતો.
આપણે જાણીએ છીએ કે આ બધા વાયરસ ન્યુમોનિયા પેદા કરી શકે છે, તેથી સંભવ છે કે તેઓ આ રોગ માટે જવાબદાર હતા. આપણે કહી શકીએ કે આ દર્દીઓમાં જોવા મળતો ન્યુમોનિયા કૂતરાના કોરોનાવાયરસથી સંબંધિત છે, પરંતુ એમ કહી શકતા નથી કે ફક્ત આ વાયરસ જ તેમનામાં ન્યુમોનિયાનું કારણ છે.
એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મલેશિયાના દર્દીઓમાં જોવા મળતા કૂતરાઓના કોરોનાવાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે, અને જો તેમ થાય છે, તો પરિણામ આ રોગ પણ મોટા પાયે ફાટી નીકળશે.
આ તે સમય છે જ્યારે કોરોનાવાયરસની ચર્ચા છે અને તમામ પ્રકારના વાયરસની શોધ થઈ રહી છે અને આ વાતનો ઇનકાર થતો નથી કે કેટલાક વધુ સકારાત્મક નમૂનાઓ અણધાર્યા સ્થળોએથી મેળવી શકાય છે, પરંતુ તેમાંથી મોટાભાગના ફક્ત અભ્યાસ અને તપાસમાં મર્યાદિત હશે અને ત્યાં ચિંતા કરવાની જરૂર નથી.
જો કે, તે મહત્વનું છે કે નવા કોરોનાવાયરસનું નિરીક્ષણ અને વિસ્તરણ ચાલુ રાખવું જેથી ભવિષ્યમાં જો કોઈ નવા પ્રકારનો વાયરસ મળી આવે, તો આપણને તે શોધવાની દરેક સ્તરે તક મળી રહે.
